જૂનાગઢમાં ઈમારત પડી, સંતાન અને પતિ ગુમાવ્યા પછી પોતે પણ ના જીવી શકેલી મહિલાના પરિવારે દેવાંશી જોષીને શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-07-28 15:13:49

જૂનાગઢ શહેરને ઐતિહાસિક તેમજ દિવ્ય શહેર માનવામાં આવે છે. પરંતુ જૂનાગઢ શહેરમાં અનેક એવી ઈમારતો છે જે જર્જરિત હાલતમાં જોવા મળે છે. થોડા દિવસો પહેલા જૂનાગઢમાં એક ઈમારત ધરાશાયી થઈ હતી જેમાં ચાર લોકોના મૃત્યુ થયા હતા. ચાર વ્યક્તિઓમાંથી એક વ્યક્તિ એ હતો જે 130 રુપિયા માટે ચાની દુકાનમાં કામ કરતા હતા. પાપી પેટ માટે તેઓ પોતાના જીવને જોખમમાં મૂકી ચાની દુકાન પર કામ કરી રહ્યા હતા. એ મકાનમાં બીજા ત્રણ લોકો જે મૃત્યુ પામ્યા તે એક જ પરિવારના હતા. પત્ની બહાર કામથી ગઈ હતી પરંતુ જ્યારે તે ઘરે પરત આવી ત્યારે તેમની નજરોની સામે તેમનો હસતો ખેલતો પરિવાર વિખેરાઈ ગયો. એ મહિલા જ્યારે ઘરની બહાર નીકળી ત્યારે તેણે કલ્પના નહીં કરી હોય કે તે પોતાના 6 વર્ષના બાળકને, 13 વર્ષના સંતાનને, પોતાના પતિને ક્યારેય નહીં મળી શકે.



પત્નીની સામે વિખેરાયો હસતો ખેલતો પરિવાર 

કહેવાય છે કે જન્મ અને મૃત્યુ આપણાં હાથમાં નથી હોતું. વાત પણ સાચી છે કે આપણને નથી ખબર હોતી કે આપણી કઈ ક્ષણ અંતિમ ક્ષણ હશે. કઈ ક્ષણે આપણામાંથી પ્રાણ પંખેરૂ ઉડી જશે તેની જાણ નથી હોતી. ત્યારે થોડા દિવસ પહેલા જુનાગઢમાં જે ઈમારત ધરાશાયી થઈ તે દુર્ઘટનામાં એક આખે આખો પરિવારનો માળો વિખેરાઈ ગયો. આ દુર્ઘટનામાં માતાની નજરની સામે બે સંતાનોના તેમજ તેના પતિ મૃત્યુ પામ્યા. એ આઘાત મયૂરી બેન સહન ન કરી શક્યા. આઘાતમાં આવેલા મયૂરીબેને પણ આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું. માતાને છેતરીને તેઓ બાથરૂમમાં ગયા અને ત્યાં ઝેરી દવા ઘટઘટાઈ ગયા. બહાર આવીને તેમણે પોતાની મમ્મીને કહ્યું. 


માતાનો કલ્પાંત તમેને હચમચાવી દેશે  

આ પરિવારને મળવા જ્યારે દેવાંશી જોષી ગયા ત્યારે મયુરીની માતા વલોપાત કરતા હતા, તેમનો આક્રંદ તેમની ભાષામાં છલકાતો હતો. રડતાં રડતાં તેઓ કહેતા હતા કે જેવું તેમની સાથે થયું તેવું કોઈ બીજા સાથે ન થાય. ફરિયાદોમાં એક માનું દર્દ બહાર છલકાઈ આવ્યું હતું કે આવો જોવાનો વારો કોઈ પરિવારને જોવો ન પડે. જે પરિસ્થિતિથી તે પસાર થઈ રહ્યા છે તે સહન કરવાનો વારો કોઈ બીજા પરિવારનો ન આવે. જ્યારે તેમના પરિવારના સભ્યો સાથે વાત કરી ત્યારે તેમની એક જ ફરિયાદ હતી કે આવી દુર્ઘટનાઓ કોઈ બીજા સાથે પણ બની શકે છે. જર્જરિત મકાન હોવાને કારણે ઘર પડી જવાનો ડર રહેતો હોય છે. 


દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? 

તંત્રને ખબર હોવા છતાંય પણ કોઈ બોર્ડ લગાવવામાં આવ્યા ન હતા. જર્જરિત બિલ્ડીંગ નીચેથી અનેક રિક્ષાઓ બાળકોને લઈ પસાર થતી હોય છે. દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? આ દુર્ઘટના સર્જાઈ છે પરંતુ તે બાદ આવી દુર્ઘટના નહીં સર્જાય તે વાતની કોઈ ગેરંટી લેશે? અનેક જર્જરિત મકાનો હોવા છતાં પણ મકાનો નીચે ઉતારવાની કામગીરી નથી કરી. કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!