જૂનાગઢમાં ઈમારત પડી, સંતાન અને પતિ ગુમાવ્યા પછી પોતે પણ ના જીવી શકેલી મહિલાના પરિવારે દેવાંશી જોષીને શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-07-28 15:13:49

જૂનાગઢ શહેરને ઐતિહાસિક તેમજ દિવ્ય શહેર માનવામાં આવે છે. પરંતુ જૂનાગઢ શહેરમાં અનેક એવી ઈમારતો છે જે જર્જરિત હાલતમાં જોવા મળે છે. થોડા દિવસો પહેલા જૂનાગઢમાં એક ઈમારત ધરાશાયી થઈ હતી જેમાં ચાર લોકોના મૃત્યુ થયા હતા. ચાર વ્યક્તિઓમાંથી એક વ્યક્તિ એ હતો જે 130 રુપિયા માટે ચાની દુકાનમાં કામ કરતા હતા. પાપી પેટ માટે તેઓ પોતાના જીવને જોખમમાં મૂકી ચાની દુકાન પર કામ કરી રહ્યા હતા. એ મકાનમાં બીજા ત્રણ લોકો જે મૃત્યુ પામ્યા તે એક જ પરિવારના હતા. પત્ની બહાર કામથી ગઈ હતી પરંતુ જ્યારે તે ઘરે પરત આવી ત્યારે તેમની નજરોની સામે તેમનો હસતો ખેલતો પરિવાર વિખેરાઈ ગયો. એ મહિલા જ્યારે ઘરની બહાર નીકળી ત્યારે તેણે કલ્પના નહીં કરી હોય કે તે પોતાના 6 વર્ષના બાળકને, 13 વર્ષના સંતાનને, પોતાના પતિને ક્યારેય નહીં મળી શકે.



પત્નીની સામે વિખેરાયો હસતો ખેલતો પરિવાર 

કહેવાય છે કે જન્મ અને મૃત્યુ આપણાં હાથમાં નથી હોતું. વાત પણ સાચી છે કે આપણને નથી ખબર હોતી કે આપણી કઈ ક્ષણ અંતિમ ક્ષણ હશે. કઈ ક્ષણે આપણામાંથી પ્રાણ પંખેરૂ ઉડી જશે તેની જાણ નથી હોતી. ત્યારે થોડા દિવસ પહેલા જુનાગઢમાં જે ઈમારત ધરાશાયી થઈ તે દુર્ઘટનામાં એક આખે આખો પરિવારનો માળો વિખેરાઈ ગયો. આ દુર્ઘટનામાં માતાની નજરની સામે બે સંતાનોના તેમજ તેના પતિ મૃત્યુ પામ્યા. એ આઘાત મયૂરી બેન સહન ન કરી શક્યા. આઘાતમાં આવેલા મયૂરીબેને પણ આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું. માતાને છેતરીને તેઓ બાથરૂમમાં ગયા અને ત્યાં ઝેરી દવા ઘટઘટાઈ ગયા. બહાર આવીને તેમણે પોતાની મમ્મીને કહ્યું. 


માતાનો કલ્પાંત તમેને હચમચાવી દેશે  

આ પરિવારને મળવા જ્યારે દેવાંશી જોષી ગયા ત્યારે મયુરીની માતા વલોપાત કરતા હતા, તેમનો આક્રંદ તેમની ભાષામાં છલકાતો હતો. રડતાં રડતાં તેઓ કહેતા હતા કે જેવું તેમની સાથે થયું તેવું કોઈ બીજા સાથે ન થાય. ફરિયાદોમાં એક માનું દર્દ બહાર છલકાઈ આવ્યું હતું કે આવો જોવાનો વારો કોઈ પરિવારને જોવો ન પડે. જે પરિસ્થિતિથી તે પસાર થઈ રહ્યા છે તે સહન કરવાનો વારો કોઈ બીજા પરિવારનો ન આવે. જ્યારે તેમના પરિવારના સભ્યો સાથે વાત કરી ત્યારે તેમની એક જ ફરિયાદ હતી કે આવી દુર્ઘટનાઓ કોઈ બીજા સાથે પણ બની શકે છે. જર્જરિત મકાન હોવાને કારણે ઘર પડી જવાનો ડર રહેતો હોય છે. 


દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? 

તંત્રને ખબર હોવા છતાંય પણ કોઈ બોર્ડ લગાવવામાં આવ્યા ન હતા. જર્જરિત બિલ્ડીંગ નીચેથી અનેક રિક્ષાઓ બાળકોને લઈ પસાર થતી હોય છે. દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? આ દુર્ઘટના સર્જાઈ છે પરંતુ તે બાદ આવી દુર્ઘટના નહીં સર્જાય તે વાતની કોઈ ગેરંટી લેશે? અનેક જર્જરિત મકાનો હોવા છતાં પણ મકાનો નીચે ઉતારવાની કામગીરી નથી કરી. કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.