C R પાટીલે આ ઉમેદવારોને લઈને શું મોટું નિવેદન આપ્યું ??


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-30 18:17:47


ગુજરાત વિધાનસભા ચૂંટણી થોડા જ સમયમાં જાહેર થશે  તેવામાં ટિકિટ લેવા માટે ભાજપની બેઠકો પર પડાપડી થઈ હતી અને જોરદાર રેસ જામી હતી. આ અંગે સી.આર.પાટીલે મીડિયા સાથેની વાતચીતમાં મોટુ નિવેદન આપ્યું છે. તેમણે ભાજપમાં એકતા છે અને તમામ કાર્યકર્તાઓ માત્ર સેવા કરવાના ઈરાદાથી કાર્યરત છે એમ જણાવ્યું હતું. આ દરમિયાન તેમણે જયનારાયણ વ્યાસ અને અશોક ગેહલોતની શુભેચ્છા મુલાકાત હતી એમ પણ જણાવ્યું હતું.


શું કહ્યું c r પાટિલે ???


સી આર પાટિલે પોતાના કાર્યકર્તાઓ માટે કહ્યું કે ભાજપના કાર્યકર્તાઓ શિસ્તબદ્ધ છે. ટિકિટ માગવાથી એ લોકો જૂથમાં છે એવું અનુમાન લગાવી ન લેવાય. ટિકિટ માગવો તેમનો અધિકાર છે અને ભાજપમાં જેવી રીતે સંખ્યાબદ્ધ કાર્યકર્તાઓએ ટિકિટ માગી છે. એ બધા કાર્યકર્તાઓ ચૂંટણી જીતવા માટે સક્ષમ છે. જે પાર્ટીની જીતવાની તક ઉજળી હોય ત્યાં સ્વાભાવિક રીતે કાર્યકર્તાઓ આવતા હોય છે. અમે તેમને આવકારીએ છીએ. સી.આર.પાટીલે વધુમાં કહ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જેવી રીતે ટિકિટ લેવા પડાપડી થઈ હતી. અને 9 હજાર ટિકિટો સામે 2 લાખ કાર્યકર્તાઓ આવ્યા હતા. તેમ છતા અમે જંગી જીત મેળવી હતી.


વધુમાં સી આર પાટીલે કહ્યું છે ભાજપના નેતાઓ બેઠક બદલી દાવેદારી નોંધાવતા હોય છે તે ક્યાંથી ચૂંટણી લડશે એ મુદ્દે પણ સી.આર.પાટીલે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે બેઠક બદલીને દાવેદારી નોંધાવતા ભાજપના નેતાઓ ચૂંટણી ક્યાંથી લડશે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ નક્કી કરશે.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.