ચૂંટણીમાં EVMના શું ફાયદા? થપ્પા મારવાની સિસ્ટમ અને EVMમાં શું ફર્ક ?


  • Published By :
  • Published Date : 2022-11-08 13:49:58

ચૂંટણીમાં વર્ષોથી થપ્પા મારવાની સિસ્ટમ ચાલતી હતી પણ હવે થપ્પા મારવાની સિસ્ટમ જૂની થઇ છે  અને તેનું સ્થાન ઈવીએમ મશીને લઇ લીધું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઈવીએમ મશીનનો ઉપયોગ થાય છે.પણ તમને એ સવાલ મનમાં થતો હશે કે આ મશીન વીજળી ના હોય તો કેવી રીતે કામ કરે ? તો તમને જણાવી દઈએ કે આ મશીનને વીજળીની જરૂર પડતી નથી કારણે કે આ મશીન 7.5 વોલ્ટના આલ્કલાઈન પાવર પેકથી ચાલે છે. જેથી, વીજળીનું જોડાણ ન હોય એવા વિસ્તારમાં પણ ઈવીએમનો ઉપયોગ કરી શકાય છે 


30 મિનિટમાં માંડ 150 મત જ નોંધાઈ શકે !

જયારે થપ્પા મારવાની સિસ્ટમ હતી ત્યારે ઘણી વાર એવા કિસ્સાઓ સામે આવતા કે તોફાની લોકો દ્વારા બોગસ મતો નાખી દેવામાં આવતા પરંતુ EVM પ્રોગ્રામ એવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે કે, EVM એક મિનિટમાં માત્ર પાંચ જ મત નોંધી શકે છે.કોઈ મતદાન મથકે ફાળવેલ એક હજાર જેટલા મતપત્રો તેમની વચ્ચે વહેંચી શકે છે અને તેમાં સિક્કા લગાવી શકે,અને મતપેટીમાં નાખી શકે અને પોલીસ આવે તે પહેલા ભાગી જય શકે છે પણ ઇવીએમમાં અડધા કલાકમાં માત્ર 150 મત જ નોંધી શકે છે તથા જો મતદાન અધિકારી દ્વારા ક્લોજ઼ બટન દેવાય તો પણ મત નોંધાતા નથી 


EVM કેવી રીતે સીલ થતા હોય છે ?

EVM યોગ્ય રીતે કામ કરે છે કે નહિ તે માટે મતદાન પહેલા મોકપોલ રાખવામાં આવતા હોય છે જેની સીધી દેખરેખ પ્રમુખ મતદાન અધિકારી કરતા હોય છે મોકપોલ કાર્ય બાદ મતદાન મથક ખાતે તેને કુલ 4 પ્રકારે સીલ કરવામાં આવે છે.તથા મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરી કેન્દ્ર પરિસરમાં આવેલા સ્ટ્રોંગરૂમમાં ઈવીએમ લઇ જવામાં આવે છે 

 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.