કેટલી કરુણાથી ભરેલી તસવીર! MPમાં કેમ પોતાની જમીન માટે જમીન પર આળોટવુ પડ્યું જગતના તાતને? જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-18 16:36:29

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ભાઈ આળોટી રહ્યા છે.. વીડિયો જોતા લાગશે કે ખેડૂતે કોઈ બાધા રાખી હશે અને તેને પૂરી કરવા માટે આળોટી રહ્યા છે.. જો તમે આવું વિચારતા હોય તો તમે ખોટા છો.. આ વીડિયો મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાનો છે જ્યાં ખેડૂત કલેક્ટર કચેરીમાં આળોટી રહ્યા છે.. ખેડૂતનું નામ છે શંકરલાલ પાટીદાર. 

કલેક્ટર કચેરીમાં ખેડૂત આળોટ્યા!

આખી ઘટનાની વાત કરીએ તો ખેડૂત શંકરલાલ પાટીદારે પોતાની જમીન પરત મેળવવા માટે કલેક્ટર કચેરીમાં જાહેર સુનાવણીમાં 25 વખત અરજી કરી હતી, પરંતુ સુનાવણી ન થતાં તેમણે કલેક્ટરને ધ્યાન જાય એટલે આ રીતે જમીન પર ઢસડાઈને ગયા ને પછી તેણે ફરીથી કલેક્ટરને અરજી કરી. ખેડૂતનું આ રીતે જવું એ જોઈને એની ચર્ચાએ સમગ્ર કલેક્ટર કચેરીમાં હલચલ મચાવી દીધી હતી. તમે એ વીડિયો જુઓ પછી વાત કરીએ કે કેમ આ ખેડૂતે એવું કરવું પડ્યું!



ખેડૂતે આપી આત્મહત્યા કરવાની ચીમકી 

ખેડૂત શંકરલાલ પાટીદાર કહે છે કે તેમની પાસે સુરખેડામાં લગભગ 1.76 એટલે કે નવ વીઘા જમીન છે. કલેક્ટર કચેરીમાં તૈનાત બાબુ નારાયણ દેશમુખના પુત્ર અશ્વિન દેશમુખે આ જમીન પોતાના નામે કરાવી છે. તેઓ 14 વર્ષથી પોતાની જમીન પરત લેવા માટે લડી રહ્યા છે, પરંતુ કોઈ તેમને સાથ નથી આપી રહ્યું.દેશમુખ દરરોજ ગુંડાઓ અને બદમાશો દ્વારા તેની જમીન પર કબજો કરવા માંગે છે. સાથે જ શંકરલાલે આત્મહત્યાની ચીમકી પણ આપી 



રાજ્ય બદલાય છે પરિસ્થિતિ નથી બદલાતી!

અધિકારીઓનું કહેવું છે કે હાલમાં માફિયાઓએ શંકરલાલની જમીન પર કબજો જમાવ્યો હોય તેવી કોઈ ઘટના સામે આવી નથી. સમગ્ર અરજીની તપાસ કરવામાં આવી રહી છે. આ મામલો જમીન ખરીદી સાથે જોડાયેલો છે. અશ્વિન દેશમુખે 2010માં જમીન ખરીદી હતી. આ સમાચાર એટલા માટે આપના સુધી પહોંચાડવાનો ઉદ્દેશ એટલો જ હતો કે ગુજરાત હોય કે બીજું રાજ્ય હોય ખેડૂતોની સ્થિતી દયનિય જ છે.. તેમની પરેશાની ઓછું થવાનું નામ જ નથી લેતી તેવું લાગે...  



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.