કેટલી કરુણાથી ભરેલી તસવીર! MPમાં કેમ પોતાની જમીન માટે જમીન પર આળોટવુ પડ્યું જગતના તાતને? જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2024-07-18 16:36:29

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ભાઈ આળોટી રહ્યા છે.. વીડિયો જોતા લાગશે કે ખેડૂતે કોઈ બાધા રાખી હશે અને તેને પૂરી કરવા માટે આળોટી રહ્યા છે.. જો તમે આવું વિચારતા હોય તો તમે ખોટા છો.. આ વીડિયો મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાનો છે જ્યાં ખેડૂત કલેક્ટર કચેરીમાં આળોટી રહ્યા છે.. ખેડૂતનું નામ છે શંકરલાલ પાટીદાર. 

કલેક્ટર કચેરીમાં ખેડૂત આળોટ્યા!

આખી ઘટનાની વાત કરીએ તો ખેડૂત શંકરલાલ પાટીદારે પોતાની જમીન પરત મેળવવા માટે કલેક્ટર કચેરીમાં જાહેર સુનાવણીમાં 25 વખત અરજી કરી હતી, પરંતુ સુનાવણી ન થતાં તેમણે કલેક્ટરને ધ્યાન જાય એટલે આ રીતે જમીન પર ઢસડાઈને ગયા ને પછી તેણે ફરીથી કલેક્ટરને અરજી કરી. ખેડૂતનું આ રીતે જવું એ જોઈને એની ચર્ચાએ સમગ્ર કલેક્ટર કચેરીમાં હલચલ મચાવી દીધી હતી. તમે એ વીડિયો જુઓ પછી વાત કરીએ કે કેમ આ ખેડૂતે એવું કરવું પડ્યું!



ખેડૂતે આપી આત્મહત્યા કરવાની ચીમકી 

ખેડૂત શંકરલાલ પાટીદાર કહે છે કે તેમની પાસે સુરખેડામાં લગભગ 1.76 એટલે કે નવ વીઘા જમીન છે. કલેક્ટર કચેરીમાં તૈનાત બાબુ નારાયણ દેશમુખના પુત્ર અશ્વિન દેશમુખે આ જમીન પોતાના નામે કરાવી છે. તેઓ 14 વર્ષથી પોતાની જમીન પરત લેવા માટે લડી રહ્યા છે, પરંતુ કોઈ તેમને સાથ નથી આપી રહ્યું.દેશમુખ દરરોજ ગુંડાઓ અને બદમાશો દ્વારા તેની જમીન પર કબજો કરવા માંગે છે. સાથે જ શંકરલાલે આત્મહત્યાની ચીમકી પણ આપી 



રાજ્ય બદલાય છે પરિસ્થિતિ નથી બદલાતી!

અધિકારીઓનું કહેવું છે કે હાલમાં માફિયાઓએ શંકરલાલની જમીન પર કબજો જમાવ્યો હોય તેવી કોઈ ઘટના સામે આવી નથી. સમગ્ર અરજીની તપાસ કરવામાં આવી રહી છે. આ મામલો જમીન ખરીદી સાથે જોડાયેલો છે. અશ્વિન દેશમુખે 2010માં જમીન ખરીદી હતી. આ સમાચાર એટલા માટે આપના સુધી પહોંચાડવાનો ઉદ્દેશ એટલો જ હતો કે ગુજરાત હોય કે બીજું રાજ્ય હોય ખેડૂતોની સ્થિતી દયનિય જ છે.. તેમની પરેશાની ઓછું થવાનું નામ જ નથી લેતી તેવું લાગે...  



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.