દેશ બંધારણથી અને સુપ્રીમ કોર્ટથી ચાલશે, જંતર-મંતરથી નહીં: WFI પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ


  • Published By :
  • Published Date : 2023-04-29 20:25:52

દિલ્હીના જંતર-મંતર પર કુસ્તીબાજોના ધરણા ચાલુ છે. આજે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત તમામ વિપક્ષી નેતાઓ વિરોધ સ્થળ પર પહોંચ્યા હતા. કુસ્તીબાજો WFI પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન ભાજપના સાંસદ અને WFI પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું છે કે હું અયોધ્યામાં મોટો થયો છું. હું સંતોની વચ્ચે રહ્યો છું. આ દેશ જંતર-મંતર પરથી નહીં, સુપ્રીમ કોર્ટથી ચાલશે, બંધારણથી ચાલશે.


'દેશ બંધારણથી ચાલશે, જંતર-મંતરથી નહીં'


મીડિયા સાથે વાત કરતા WFIના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું કે, 'મેં પહેલા જ કહ્યું હતું કે હું કંઈ જ કહીશ  નહીં. હું અયોધ્યામાં મોટો થયો છું, મારું બાળપણ અયોધ્યામાં જ વીત્યું છે. તમે મારા વિશે સંતોને પૂછી શકો છો. જેમ સંતોએ કહ્યું છે કે આ દેશ બંધારણથી ચાલશે, દેશ સુપ્રીમ કોર્ટથી ચાલશે... જંતર-મંતરથી નહીં ચાલે.


'હું રાજીનામું આપવા તૈયાર છું'


જંતર-મંતર પર કુસ્તીબાજો વિરોધ કરી રહ્યા છે ત્યારથી બ્રિજભૂષણ સિંહે ખુલીને કશું કહ્યું નથી. આજે પણ તેણે સ્પષ્ટ કહ્યું હતું કે તે આ મુદ્દે હું કંઈ પણ બોલવા માંગતો નથી. ગઈકાલે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર તેમની સામે FIR નોંધવામાં આવી છે. આમાં POCSO એક્ટ પણ સામેલ છે. તેણે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે જો કુસ્તીબાજો મારા રાજીનામાથી સંતુષ્ટ છે તો હું રાજીનામું આપવા તૈયાર છું. મને ન્યાયતંત્રમાં પૂરો વિશ્વાસ છે, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.