બિપોરજોય ચક્રવાતના પગલે વેસ્ટર્ન રેલવેની 100 ટ્રેનો ટ્રેનો રદ્દ, 40ને શોર્ટ ટર્મિનેટ અને અન્ય 40 ટ્રેન શોર્ટ ઓરિજિનેટ કરાઈ


  • Published By :
  • Published Date : 2023-06-16 20:36:50

ગુજરાત પર ત્રાટકેલુ વિનાશક બિપોરજોય વાવાઝોડું કચ્છના જખૌ બંદરે ટકરાયું હતુ હવે આ ચક્રવાત રાજસ્થાન તરફ ફંટાયું છે. આ વાવાઝોડાના કારણે સમગ્ર ગુજરાતમાં સુસવાટા મારતા પવન સાથે વરસાદ થઈ રહ્યો છે. વાવાઝોડાના કારણે ગુજરાતમાંથી પસાર થતી ટ્રેનોને વ્યાપક અસર થઈ છે. વેસ્ટર્ન રેલવે દ્વારા ગુજરાત સેક્ટર પર લગભગ 180 જેટલી ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેના પ્રવક્તા સુમિત ઠાકુરે જણાવ્યું કે, આજે વધુ બે ટ્રેનોને રદ્દ કરી દેવામાં આવી છે. જ્યારે એક ટ્રેનનો શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે, તો બે ટ્રેનોને શોર્ટ ઓરિજિનેટ કરવામાં આવી છે. 


કેટલીક ટ્રેનો રદ્દ તો અન્યને શોર્ટ ટર્મિનેટ અને શોર્ટ ઓરિજિનેટ કરાઈ


પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કુલ 100 ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. 40ને શોર્ટ ટર્મિનેટ અને અન્ય 40 ટ્રેનનો શોર્ટ ઓરિજિનેટ કરવામાં આવી છે. મુસાફરોને નિયમ અનુસાર ટિકિટનું રિફંડ આપવામાં આવશે. રદ્દ થયેલી ટ્રેનોમાં 16 જૂનના રોજની પોરબંદર-વેરાવળ એક્સપ્રેસ ટ્રેન, તે ઉપરાંત શ્રી માતા વૈષ્ણેદેવી-કટરા અને ગાંધીધામ વચ્ચે દોડતી સર્વોદર એક્સપ્રેસ (12474) ટ્રેનને અમદાવાદમાં શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી હતી. જ્યારે ભૂજ-સાબરમતી સ્પેશિયલ ટ્રેન (09456), જે પહેલા રદ્દ કરવામાં આવી હતી, તે ગાંધીધામથી શૉર્ટ ઓરિજિનેટ થશે. જ્યારે સર્વોદય એક્સપ્રેસ (12473) હવે શનિવારે 17 જૂનના રોજ અમદાવાદથી શોર્ટ ઓરિજિનેટ થશે. તે જ રીતે 17મી તારીખ શનિવારની વાત કરીએ તો, ટ્રેન નંબર 12473 ગાંધીધામ-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સર્વોદય એક્સપ્રેસ ટ્રેન ગાંધીધામની જગ્યાએ અમદાવાદથી ઉપડશે. આ ટ્રેન ગાંધીધામથી અમદાવાદ વચ્ચે રદ્દ રહેશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.