બિપોરજોય ચક્રવાતના પગલે વેસ્ટર્ન રેલવેની 100 ટ્રેનો ટ્રેનો રદ્દ, 40ને શોર્ટ ટર્મિનેટ અને અન્ય 40 ટ્રેન શોર્ટ ઓરિજિનેટ કરાઈ


  • Published By :
  • Published Date : 2023-06-16 20:36:50

ગુજરાત પર ત્રાટકેલુ વિનાશક બિપોરજોય વાવાઝોડું કચ્છના જખૌ બંદરે ટકરાયું હતુ હવે આ ચક્રવાત રાજસ્થાન તરફ ફંટાયું છે. આ વાવાઝોડાના કારણે સમગ્ર ગુજરાતમાં સુસવાટા મારતા પવન સાથે વરસાદ થઈ રહ્યો છે. વાવાઝોડાના કારણે ગુજરાતમાંથી પસાર થતી ટ્રેનોને વ્યાપક અસર થઈ છે. વેસ્ટર્ન રેલવે દ્વારા ગુજરાત સેક્ટર પર લગભગ 180 જેટલી ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેના પ્રવક્તા સુમિત ઠાકુરે જણાવ્યું કે, આજે વધુ બે ટ્રેનોને રદ્દ કરી દેવામાં આવી છે. જ્યારે એક ટ્રેનનો શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે, તો બે ટ્રેનોને શોર્ટ ઓરિજિનેટ કરવામાં આવી છે. 


કેટલીક ટ્રેનો રદ્દ તો અન્યને શોર્ટ ટર્મિનેટ અને શોર્ટ ઓરિજિનેટ કરાઈ


પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કુલ 100 ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. 40ને શોર્ટ ટર્મિનેટ અને અન્ય 40 ટ્રેનનો શોર્ટ ઓરિજિનેટ કરવામાં આવી છે. મુસાફરોને નિયમ અનુસાર ટિકિટનું રિફંડ આપવામાં આવશે. રદ્દ થયેલી ટ્રેનોમાં 16 જૂનના રોજની પોરબંદર-વેરાવળ એક્સપ્રેસ ટ્રેન, તે ઉપરાંત શ્રી માતા વૈષ્ણેદેવી-કટરા અને ગાંધીધામ વચ્ચે દોડતી સર્વોદર એક્સપ્રેસ (12474) ટ્રેનને અમદાવાદમાં શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી હતી. જ્યારે ભૂજ-સાબરમતી સ્પેશિયલ ટ્રેન (09456), જે પહેલા રદ્દ કરવામાં આવી હતી, તે ગાંધીધામથી શૉર્ટ ઓરિજિનેટ થશે. જ્યારે સર્વોદય એક્સપ્રેસ (12473) હવે શનિવારે 17 જૂનના રોજ અમદાવાદથી શોર્ટ ઓરિજિનેટ થશે. તે જ રીતે 17મી તારીખ શનિવારની વાત કરીએ તો, ટ્રેન નંબર 12473 ગાંધીધામ-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સર્વોદય એક્સપ્રેસ ટ્રેન ગાંધીધામની જગ્યાએ અમદાવાદથી ઉપડશે. આ ટ્રેન ગાંધીધામથી અમદાવાદ વચ્ચે રદ્દ રહેશે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!