બંગાળમાં હિંસા મામલે હાઈકોર્ટે મમતા સરકાર પાસે માંગ્યો રિપોર્ટ, ભાજપે મુસ્લિમ તુષ્ટીકરણનો લગાવ્યો આરોપ


  • Published By :
  • Published Date : 2023-04-03 16:37:54

કોલકત્તા હાઈકોર્ટે આજ સોમવારે પશ્ચિમ બંગાળ સરકાર પાસે હાવડામાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન થયેલી હિંસા અંગે બુધવાર 5 એપ્રિલ સુધી કાર્યવાહીનો રિપોર્ટ માંગ્યો છે. બીજી  તરફ ભાજપાની શોભાયાત્રા દરમિયાન હુગલીમાં થયેલી હિંસાને લઈને ભાજપા કાર્યકર્તાઓ પશ્ચિમ બંગાળ સરકાર વિરૂધ્ધ પ્રદર્શનો કરી રહ્યા છે. 


પોલીસ પાસે માગ્યો રિપોર્ટ


ભાજપના નેતા અને રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારી દ્વારા રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની તપાસની માગ કરતી અરજી હાઈકોર્ટમાં કરી હતી. સુનાવણી દરમિયાન કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ ટીએસ શિવગણનમ તથા ન્યાયમૂર્તિ હિરણ્મય ભટ્ટાચાર્યની બેન્ચે પોલીસને સીસીટીવી જમા કરાવવાના આદેશ આપ્યા હતા. તે સાથે જ અત્યાર સુધીમાં થયેલી ધરપકડો અંગે એક રિપોર્ટ સાથે હિંસા દરમિયાનના ફૂટેજ પણ માગ્યા છે.  


BJP નેતાએ કરી તપાસની માગ


શુભેન્દુ અધિકારીએ શુક્રવારે એક લોકહિતની અરજી દાખલ કરી હતી. તેમણે અરજીમાં હાવડા અને ઉત્તર દિનાજપુર જિલ્લામાં ગુરૂવારે થયેલી હિંસાની ઘટનાને રોકવામાં પોલીસ નિષ્ફળ રહી હોવાનો આરોપ લગાવ્યો હતો. તે ઉપરાંત તેમણે કેન્દ્રિય દળો તૈનાત કરવાની પણ માગ કરી હતી. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.