પશ્ચિમ બંગાળ: રાહુલ ગાંધીની કાર પર પથ્થરમારો, અધીર રંજને TMC પર લગાવ્યો આરોપ


  • Published By :
  • Published Date : 2024-01-31 15:58:07

પશ્ચિમ બંગાળના માલદામાં કોંગ્રેસની 'ભારત જોડો ન્યાય યાત્રા' પર પથ્થરમારો થયો છે. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ દાવો કર્યો છે કે એક કારમાં આવેલા કેટલાક અજ્ઞાત લોકોએ રાહુલ ગાંધીની કાર પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં કારની પાછળના ભાગનો કાચ તુટી ગયો છે. જો કે રાહુલ ગાંધીને કોઈ ઈજા થઈ નથી.   


અધીર રંજને TMC પર લગાવ્યો આરોપ


પશ્ચિમ બંગાળ-બિહાર સરહદે ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધીના કાફલા પર હુમલો થયો છે. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ આ હુમલા માટે મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી પર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે 'આ હુમલો માલદા જિલ્લાના હરિશ્ચંદ્રપુર વિસ્તારમાં ત્યારે થયો જ્યારે યાત્રા બિહારથી પશ્ચિમ બંગાળમાં બીજી વખત પ્રવેશ કરી રહી હતી. અધીર રંજને કહ્યું કે રાહુલ ગાંધી જે વાહનમાં પ્રવાસ કરી રહ્યા હતા તેની પાછલી બાજુની બારીનો કાચ પથ્થરો  મારીને તોડી નાખવામાં આવ્યો છે, આ બાબત અસ્વિકાર્ય છે. '  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે