પશ્ચિમ બંગાળના હુગલીમાં શોભા યાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે પથ્થરમારો અને આગચંપી


  • Published By :
  • Published Date : 2023-04-02 20:42:55

પશ્ચિમ બંગાળમાં રામ નવમીના દિવસે શરૂ થયેલી હિંસા હજુ પણ અટકવાનું નામ નથી લઈ રહી. હાવડા અને ઉત્તર દિનાજપુરમાં હિંસા બાદ આજે હુગલીમાં હિંસાનો મામલો સામે આવ્યો છે. હુગલીમાં રામ નવમી થીમ પર આયોજિત શોભાયાત્રા દરમિયાન જોરદાર હિંસા થઈ છે. ભાજપ દ્વારા આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.


ભાજપના નેતા દિલીપ ઘોષ પણ જોડાયા હતા 


આ શોભાયાત્રામાં ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપ ઘોષે પણ ભાગ લીધો હતો. કાર્યક્રમમાંથી દિલીપ ઘોષની વિદાય બાદ અચાનક જ બંને સંપ્રદાયો વચ્ચે મારામારીની ઘટનાઓ શરૂ થઈ ગઈ હતી. શોભાયાત્રા દરમિયાન બે જૂથો સામસામે આવી ગયા હતા. શોભાયાત્રા દરમિયાન ભારે પથ્થરમારો થયો હતો. પથ્થરબાજીથી બચવા માટે કેટલાક લોકો સલામત જગ્યાની શોધમાં દોડતા પણ જોવા મળ્યા હતા. આ સાથે આ દરમિયાન આગચંપી પણ કરવામાં આવી હતી. હિંસાની સ્થિતિને જોતા ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ સપ્તાહની શરૂઆતમાં પણ બંગાળના હાવડામાં રામનવમીના શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી.


ભાજપના નેતાના મમતા સરકાર પર પ્રહાર 


રાજ્યમાં ફરી આ પ્રકારની ઘટના માટે ભાજપના દિલીપ ઘોષે રાજ્ય સરકારને જવાબદાર ગણાવી છે. પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું કે, શોભા યાત્રા દરમિયાન મહિલાઓ અને બાળકો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. હાવડા હિંસા પછી પણ રાજ્ય સરકાર કોઈ પગલાં લઈ રહી નથી. પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી રહી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.