IND vs ENG: શાબાશ સરફરાઝ... પુત્રએ સાકાર કર્યું પિતાનું સપનું, ડેબ્યૂ મેચમાં જ ફટકારી અડધી સદી


  • Published By :
  • Published Date : 2024-02-15 19:51:44

પિતાએ જે સપનું જોયું તે આખરે પુત્રએ સાકાર કર્યું. ઈંગ્લેન્ડ સામે રાજકોટ ટેસ્ટ મેચમાં ભારત તરફથી ડેબ્યૂ કરનાર સરફરાઝ ખાને કમાલ કરી દીધો. સરફરાઝ ખાનને જ્યારે ટેસ્ટ કેપ મળી ત્યારે તેના પિતા પણ ત્યાં હાજર હતા. સરફરાઝને જેવી ટેસ્ટ કેપ મળી કે તે દોડીને તેના પિતા પાસે દોડી ગયો અને તેમને ગળે લગાવ્યા હતા, તેના પિતા પણ ભાવુક બની ગયા હતા અને તેમની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા. હવે બેટિંગ કરવાનો વારો સરફરાઝનો હતો. રોહિત શર્માના આઉટ થયા બાદ સરફરાઝ ખાન બેટિંગ કરવા ક્રિઝ પર આવ્યો હતો.


તોફાની પચાસ રન ફટકાર્યા


જો કે સરફરાઝ ખાન દુર્ભાગ્યપૂર્ણ રહ્યો કે તે રન આઉટ થયો હતો, પરંતુ તે પહેલા તેણે તોફાની પચાસ રન ફટકારીને સ્પષ્ટ કરી દીધું કે હવે તેનો સમય આવી ગયો છે. સરફરાઝે માત્ર 48 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. પુત્રની આ સિદ્ધિ જોઈને સ્ટેડિયમમાં બેઠેલા પિતાની છાતી ગર્વથી ફૂલી ગઈ હતી.


પુત્રના પર્ફોરમન્સથી પિતા સંતૃષ્ટ


તેમના ચહેરા પર જે સ્મિત હતું તેનાથી સ્પષ્ટ થઈ રહ્યું હતું કે તેમને પુત્રના પર્ફોરમન્સથી સંતૃષ્ટ છે. કારણ કે  તેમની આંખો આ દિવસ જોવા માટે તરસતી હતી. સરફરાઝ ખાનના પિતા જ તેના બાળપણના કોચ છે.


પિતા પણ ક્રિકેટર રહી ચૂક્યા છે


ઉલ્લેખનિય છે કે સરફરાઝ ખાનના પિતા પણ ક્રિકેટર રહી ચૂક્યા છે. તેમનું સપનું ભારત માટે ક્રિકેટ રમવાનું હતું, પરંતુ તે ક્યારેય સાકાર થઈ શક્યું નહીં. આ પછી જ તેમણે નક્કી કર્યું કે તે પોતાના બાળકોને ટીમ ઈન્ડિયા માટે તૈયાર કરશે અને તેમના માટે તેમણે દિવસ-રાત એક કર્યો હતો.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે