Loksabha Election પહેલા BJPમાં વેલકમ પાર્ટી, Arjun modhwadia અને Ambarish Der વિધિવત્ત રીતે થશે ભાજપના! C.R.Patil કરશે પૂર્વ ધારાસભ્યોનું સ્વાગત


  • Published By :
  • Published Date : 2024-03-05 10:26:54

લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ જોડ તોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. એક તરફ કોંગ્રેસ પક્ષ તૂટી રહ્યો છે તો બીજી તરફ ભાજપ પક્ષમાં કોંગ્રેસ પક્ષના દિગ્ગજ નેતાઓ જઈ રહ્યા છે. ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. ગઈકાલે કોંગ્રેસ પક્ષને બે મોટા ફટકા પડ્યા. પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું. ધારાસભ્યનું રાજીનામું લેવા વિધાનસભા અધ્યક્ષ ગાંધીનગર ખાતે હેલિકોપ્ટરથી પહોંચ્યા હતા. આજે ફરીથી ભરતી મેળો થવાનો છે. કોંગ્રેસના બે પૂર્વ ધારાસભ્ય કેસરિયો ધારણ કરવાના છે. અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેર આજે સી.આર.પાટીલની હાજરીમાં કેસરિયો ધારણ કરી શકે છે. 

Image


પક્ષપલટા બાદ બદલાઈ જાય છે નેતાઓના સૂર!

પક્ષ પલટો કરવો નેતા માટે સામાન્ય વાત બની ગઈ હોય તેવું લાગે છે. છેલ્લા ઘણા સમયમાં અનેક ધારાસભ્યોએ, કાર્યકર્તાઓએ પક્ષ પલટો કરી લીધો છે. જે પાર્ટી માટે પહેલા ખરાબ બોલતા હોય છે તેમના બોલ બીજેપીમાં સામેલ થયા બાદ બદલાઈ જતા હોય છે. જે નીતિઓનો વિરોધ પહેલા કરતા હોય છે તે જ નીતિઓ ભાજપમાં આવ્યા બાદ સારી લાગવા લાગે છે. વિકાસ નથી થયો તેવી વાતો પહેલા કરવામાં આવતી હોય છે પરંતુ પક્ષ પલટો કર્યા બાદ કેટલો વિકાસ થયો છે તે દેખાવવા લાગે છે. એક જ દિવસમાં જાણે તેમનું હૃદયપરિવર્તન થઈ જતું હોય છે. આ અનેક ઉદાહરણો આપણી સામે છે.. ગિરગિટ પણ વિચારતો હશે કે આટલા જલ્દી તો હું પણ આટલા જલ્દી રંગ નથી જેટલા જલ્દી આ લોકો રંગ બદલે છે! 

Congress MLA Amrish Der demanded an account of his grant | એવું તે શું થયું  કે, કોંગ્રેસના ધારાસભ્ય અમરિશ ડેર વેલમાં ધસી ગયા

મોઢવાડિયા દિલ્હીના કોંગ્રેસના નેતાઓ પર એવાં બગડ્યાં, રાહુલ-સોનિયા ગાંધીની  ઊંઘ ઉડી જશે | Congress leader arjun modhwadia tweet controversy National  Congress leaders

બે પૂર્વ ધારાસભ્યો આજે કેસરિયો કરશે ધારણ!

ચૂંટણી પહેલા પક્ષ પલટોની મૌસમ પૂર બહારમાં ખીલી છે. છેલ્લા ઘણા સમયથી અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ગયા છે. ધારાસભ્યો પહેલા પોતાના પદ ઉપરથી રાજીનામું આપે છે અને પછી કેસરિયો ધારણ કરે છે. ભાજપમાં વેલકમ પાર્ટી થવી સામાન્ય થઈ જઈ ગયું છે. થોડા સમય પહેલા હજારો કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. અનેક પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા ત્યારે આજે બે પૂર્વ ધારાસભ્યો અંબરીશ ડેર અને અર્જુન મોઢવાડિયા ભાજપમાં સી.આર.પાટીલની હાજરીમાં જોડાઈ શકે છે. 



અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.