Weather Update - ગુજરાતમાં ધીરે ધીરે જામી ઠંડીની મૌસમ, જાણો સૌથી ઓછું તાપમાન ક્યાં નોંધાયું? શું કહે છે Paresh Goswamiની આગાહી?


  • Published By :
  • Published Date : 2024-11-29 11:25:36

ઠંડીનો અહેસાસ વહેલી સવારે તેમજ મોડી રાત્રે ધીરે ધીરે થઈ રહ્યો છે પરંતુ બપોરના સમયે ઉનાળાની ગરમી હોય તેવો થોડો થોડો અહેસાસ થઈ રહ્યો છે... લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે પરંતુ મહત્તમ તાપમાનમાં બહુ ઘટાડો નોંધાયો નથી.. નવેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં પણ મહત્તમ તાપમાનમાં બહુ મોટો ફેરફાર નથી આવ્યો... સામાન્ય રીતે આ તારીખો દરમિયાન તાપમાન 30 ડિગ્રીને નીચે આવી જતું હોય છે પરંતુ આ વખતના શિયાળામાં આ તાપમાન 30 ડિગ્રી નીચે નોંધાયું નથી.. 



ક્યાં પડી વધારે ઠંડી?

ક્યાં કેટલું તાપમાન નોંધાયું તેની વાત કરીએ તો નલિયા તેમજ વડોદરામાં સૌથી નીચું તાપમાન નોંધાયું છે... નલિયા તેમજ વડોદરાનું તાપમાન 13 ડિગ્રી નોંધાયું છે જ્યારે રાજકોટનું તાપમાન 15 ડિગ્રી આસપાસ નોંધાયું છે... ડીસાનું તાપમાન 15.2 જ્યારે ગાંધીનગરનું તાપમાન 15.2 ડિગ્રી નોંધાયું છે... અમદાવાદનું તાપમાન 16.01 ડિગ્રી જ્યાકે સુરતનું તાપમાન 18 ડિગ્રી નોંધાયું છે... વડોદરા તેમજ નલિયા સૌથી ઠંડાગાર પ્રદેશ નોંધાયા હતા... 

શું કહે છે પરેશ ગોસ્વામીની આગાહી?  

પહાડી વિસ્તારોમાં હિમ વર્ષા થવાને કારણે ગુજરાતમાં ઠંડી પ્રસરી રહી છે... હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તરીય પવનને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે... વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.... ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ઠંડીનો વધારે ચમકારો જોવા મળી શકે છે તેવું અનુમાન પરેશ ગોસ્વામીએ કર્યું છે.... મહત્વનું છે કે બંગાળની ખાડીમાં સિસ્ટમ બનવાને કારણે વાવાઝોડું સક્રિય થયું છે.. પરંતુ તેની ગંભીર અસર ગુજરાત પર નથી પડવાની.. ગુજરાતના અનેક વિસ્તારો એવા છે જ્યાં છુટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે... પરેશ ગોસ્વામીએ પણ હવામાન કેવું રહેશે આગામી દિવસો દરમિયાન તેની માહિતી આપી છે...     



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે