Weather Update- ગુજરાતમાં ઠંડીનો ચમકારો, જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન? દક્ષિણ ભારતના રાજ્યો પર વાવાઝોડાનો ખતરો


  • Published By :
  • Published Date : 2024-11-28 10:57:39

ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે... ગુજરાતમાં શિયાળાનો અહેસાસ થઈ રહ્યો છે.. મોડી રાત્રે તેમજ વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે પરંતુ બપોરના સમયે ગરમીનો અનુભવ થાય છે.. વહેલી સવારે મોટા ભાગના વિસ્તારોમાં ધુમ્મસ જેવું વાતાવરણ રહેતુ હોય છે... મહત્વનું છે કે પર્વતીય વિસ્તારમાં હિમવર્ષા થવાને કારણે ગુજરાતમાં ઠંડીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે... લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે... મહત્તમ તાપમાન 30થી 35 ડિગ્રીની આસપાસ નોંધાયું છે... 

ક્યાં કેટલું તાપમાન નોંધાયું? 

ક્યાં કેટલું તાપમાન નોંધાયું તેની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 16.1 નોંધાયું છે જ્યારે ગાંધીનગરનું તાપમાન 15.2 નોંધાયું છે... તે ઉપરાંત ડીસાનું તાપમાન 16.5 નોંધાયું છે જ્યારે વડોદરાનું તાપમાન 13.6 ડિગ્રી નોંધાયું છે... સુરતનું તાપમાન 20.3 ડિગ્રી જ્યારે નલિયાનું તાપમાન 13.0 ડિગ્રી નોંધાયું છે... દમણનું તાપમાન 17.4 ડિગ્રી નોંધાયું છે... દ્વારકાનું તાપમાન 20.4 ડિગ્રી નોંધાયું છે... 


દક્ષિણ ભારતના રાજ્યો પર વાવાઝોડાનો ખતરો 

આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.... બે ત્રણ દિવસ બાદ ગુજરાતમાં ઉત્તરના પવન ફૂંકાશે જેને કારણે તાપમાનનો પારો ગગડ્શે અને ઠંડીનો ચમકારો લાગશે... બેથી ત્રણ ડિગ્રીનો તાપમાનમાં ફેરફાર આવશે... મહત્વનું છે કે ડિસેમ્બર મહિનામાં આના કરતા પણ વધારે ઠંડીનો અહેસાસ થશે.. ઉલ્લેખનિય છે કે બંગાળની ખાડીમાં સિસ્ટમ બનવાથી વાવાઝોડું બનશે જેને ફેંગલ નામ આપવામાં આવ્યું છે.. આ વાવાઝોડની અસર સૌથી વધારે દક્ષિણ ભારત પર થવાની છે... દક્ષિણ ભારતના રાજ્યોમાં સુરક્ષા બળોને તૈનાત કરવામાં આવી છે... તમારે ત્યાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો...    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે