હવામાન વિભાગે કરી આગાહી, તાપમાનમાં 3 થી 4 ડિગ્રી સુધીનો થશે ઘટાડો, 30 થી 40 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે


  • Published By :
  • Published Date : 2023-05-23 16:01:46

ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આકાશમાંથી સતત અગનવર્ષા થઈ રહી છે ત્યારે લોકો હવે આ આગઝરતી ગરમીથી ક્યારે રાહત મલશે તેની રાહ જોઈ રહ્યા છે. જો કે હવામાન વિભાગની આગાહીથી લોકોને ચોક્ક્સપણે રાહતની અનુભૂતિ થશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં ગરમીનો પારો નીચે આવશે, એટલે કે રાજ્યમાં ગરમીથી લોકોને રાહત મળશે. 


તાપમાનમાં 3 થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાશે 


હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં હવે બહુ જલદી ગરમીનો પારો નીચે આવી શકે છે, અને રાજ્યમાં ગરમીથી રાહત મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા આગામી 24 કલાક બાદ તાપમાનમાં ઘટાડો થશે અને ગરમીથી રાહત મળશે. તાપમાનમાં  લગભગ 3 થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાશે એટલે કે આવતીકાલથી ગરમી ઓછી થઇ શકે છે. 


30 થી 40 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે


સમગ્ર રાજ્યમાં આવતીકાલથી સુસવાટા મારતા પવનો ફૂંકાવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે. રિપોર્ટ પ્રમાણે, 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ પવન ફૂંકાશે. આને ધ્યાનમાં રાખીને 23 થી 26 મે સુધી માછીમારોને દરિયો ના ખેડવા માટે સૂચના પણ આપી દેવાઈ છે, રાજ્યમાં પશ્ચિમી પવનો ફૂંકાઇ રહ્યા છે જેના કારણે ગરમીથી રાહત મળશે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.