હવામાન વિભાગે કરી આગાહી, તાપમાનમાં 3 થી 4 ડિગ્રી સુધીનો થશે ઘટાડો, 30 થી 40 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે


  • Published By :
  • Published Date : 2023-05-23 16:01:46

ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આકાશમાંથી સતત અગનવર્ષા થઈ રહી છે ત્યારે લોકો હવે આ આગઝરતી ગરમીથી ક્યારે રાહત મલશે તેની રાહ જોઈ રહ્યા છે. જો કે હવામાન વિભાગની આગાહીથી લોકોને ચોક્ક્સપણે રાહતની અનુભૂતિ થશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં ગરમીનો પારો નીચે આવશે, એટલે કે રાજ્યમાં ગરમીથી લોકોને રાહત મળશે. 


તાપમાનમાં 3 થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાશે 


હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં હવે બહુ જલદી ગરમીનો પારો નીચે આવી શકે છે, અને રાજ્યમાં ગરમીથી રાહત મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા આગામી 24 કલાક બાદ તાપમાનમાં ઘટાડો થશે અને ગરમીથી રાહત મળશે. તાપમાનમાં  લગભગ 3 થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાશે એટલે કે આવતીકાલથી ગરમી ઓછી થઇ શકે છે. 


30 થી 40 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે


સમગ્ર રાજ્યમાં આવતીકાલથી સુસવાટા મારતા પવનો ફૂંકાવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે. રિપોર્ટ પ્રમાણે, 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ પવન ફૂંકાશે. આને ધ્યાનમાં રાખીને 23 થી 26 મે સુધી માછીમારોને દરિયો ના ખેડવા માટે સૂચના પણ આપી દેવાઈ છે, રાજ્યમાં પશ્ચિમી પવનો ફૂંકાઇ રહ્યા છે જેના કારણે ગરમીથી રાહત મળશે. 



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.