Weather Forecast : રાજ્યના આ ભાગો માટે કરવામાં આવી હિટવેવની આગાહી, જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-05-02 16:46:27

ગુજરાતમાં થોડા દિવસથી કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે... તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. એપ્રિલ મહિનામાં ગરમીએ 80 વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે તેવી વાત હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે. ત્યારે આગામી દિવસો દરમિયાન રાજ્યના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.. આગામી ચાર દિવસમાં અનેક ભાગોનું તાપમાન વધી શકે છે અને ગરમીનો વધારે અનુભવ થઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે... 

News18 Gujarati


મે મહિનામાં પડશે કાળઝાળ ગરમી!  

થોડા દિવસોથી ગરમીનો પ્રકોપ આપણે સહન કરવો પડી રહ્યો છે... તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર ક્યારનો પહોંચી ગયો છે અને આવનાર દિવસોમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે... એપ્રિલ મહિનામાં તો કાળઝાળ ગરમીનો અનુભવ થયો હતો ત્યારે મે મહિનામાં પણ ગરમીનો પારો સતત વધશે તેવી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. હિટવેવની આગાહી રાજ્યના અનેક ભાગો માટે કરવામાં આવી છે..

News18 Gujarati

ક્યાં માટે કરવામાં આવી હિટવેવની આગાહી? 

ગરમી અને હિટવેવ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર પોરબંદર, ભાવનગર, દીવ, કચ્છ, વલસાડ, કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, દમણ, વલસાડ માટે પણ હિટવેવની આગાહી કરવામાં આવી છે.  રાજ્યમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમરેલીમાં સૌથી વધું તાપમાન નોંધાયું હતું.



ક્યાં કેટલું નોંધાયું તાપમાન?

ગુજરાતમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમરેલીનું તાપમાન 41.3 ડિગ્રી નોંધાયું હતું, અમદાવાદનું તાપમાન 41.0, ગાંધીનગરનું 40.2, વડોદરાનું તાપમાન 40.0 ડિગ્રી નોંધાયું હતું. વલસાડનું તાપમાન 37.8 ડિગ્રી જ્યારે ભુજનું તાપમાન 39.5 ડિગ્રી નોંધાયું હતું. આગામી દિવસોમાં આ તાપમાનમાં વધારો થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે..   મહત્વનું છે કે બપોરના સમયે કાળઝાળ ગરમીનો અનુભવ થાય છે જેને કારણે રસ્તા સૂમસામ જોવા મળી રહ્યા છે.. હિટવેવની આગાહી થતા લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે ઘરની બહાર કામ વગર ના નિકળવું.. વધારે પાણી તેમજ લિક્વિડ પદાર્થ લેવા જોઈએ..   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.