હવામાન નિષ્ણાતોએ જણાવ્યું ઓગસ્ટમાં કેવો પડશે વરસાદ? વરસાદને લઈ Ambalal Patelએ અને Paresh Goswamiએ શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-07-31 16:02:19

ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. અનેક જિલ્લાઓને ધમરોળી નાખ્યું છે. ચોમાસાની પહેલા પણ બિપોરજોય વાવાઝોડાને કારણે કમોસમી વરસાદ વરસ્યો હતો. જે વખતે પણ પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ હતી. ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થતાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. અનેક જગ્યાઓ એવી છે જ્યાં 100 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. આવનાર મહિનામાં એટલે કે ઓગસ્ટમાં વરસાદ કેવો રહેશે તેની આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી તેમજ અંબાલાલ કાકા દ્વારા કરવામાં આવી છે. Weather expert Paresh Goswamiની આગાહી મુજબ ઓગસ્ટમાં વરસાદ તો રહેશે પરંતુ ગરમી ઉકળાટ રહેવાની પણ સંભાવનાઓ છે.  

ઓગસ્ટમાં રહેશે વરસાદી માહોલ!

અનેક જિલ્લાઓમાં વરસાદની અતિશયોક્તિ થઈ છે. અષાઢમાં મેઘો અનરાધાર વરસ્યો હતો ત્યારે આવનાર દિવસોમાં પણ વરસાદનું આવું સ્વરૂપ જોવા મળી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી હતી. આગાહી કરતા પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે આવનાર દિવસોમાં વરસાદ તો રહેશે પરંતુ ગરમી તેમજ બફારાનું પ્રમાણ પણ વધારે રહેશે. તેમણે કહ્યું કે રાજ્યમાં આટલો ભારે વરસાદ પડવા છતાંય ગરમી અનુભવાઈ રહી છે. જેવી ગરમીનો અહેસાસ જૂન મહિનામાં થવો જોઈએ તેવી ગરમીનો અહેસાસ જુલાઈ મહિનામાં થયો છે. આ વર્ષે જે વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે તે બંગાળની ખાડીમાં સર્જાતા લો પ્રેશરને કારણે થઈ છે. અરબી સમુદ્રમાં કોઈ મોટી સિસ્ટમ નથી બની. 10 ઓગસ્ટ સુધી ગરમી તેમજ ઉકળાટનો અનુભવ સહન કરવો પડી શકે છે.  


અંબાલાલ પટેલે પણ કરી છે વરસાદને લઈ આગાહી 

પરેશ ગોસ્વામી ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈ આગાહી કરી છે. Ambalal Patelના જણાવ્યા અનુસાર 9 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા વરસાદ ખાબકી શકે છે. બંગાળની ખાડીમાં એકબાદ એક અલગ અલગ સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેને કારણે વરસાદ વરસવાની સંભાવના છે. પવન પણ ફૂંકાઈ શકે છે. 

આ જગ્યાઓ પર થઈ શકે છે મેઘમહેર 

આગાહી કરતા અંબાલાલ કાકાએ જણાવ્યું કે ત્રીજી ઓગસ્ટથી નવમી ઓગસ્ટ સુધીમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થઇ શકે છે. જેમા મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતનાં ડાંગ, સુરત, ભરૂચના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના અનેક વિભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. ઉપરાંત ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ વરસાદ વરસી શકે છે. અરવલ્લી, સાબરકાંઠામાં વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત પંચમહાલના કેટલાક ભાગોમાં, બનાસકાંઠાના અનેક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. મહત્વનું છે કે વરસાદ થવાને કારણે નવા નીરની આવક થઈ છે અને ડેમો પાણીથી ભરાયેલા દેખાય છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!