વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી! જાણો ક્યારે અને ક્યાં વરસશે વરસાદ?


  • Published By :
  • Published Date : 2023-05-24 17:18:01

ઉનાળા દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદ વરસ્ચો હતો. તાપમાનનો પારો સતત વધતો જઈ રહ્યો હતો તે દરમિયાન રાજ્યના અનેક શહેરોમાં વરસાદ વરસ્યો હતો. જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ત્યારે ફરી એક વખત કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલે આગાહી કરી છે. જે મુજબ 25,26,27, 28 અને 29 તારીખ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર થરાદ, વાવ, અરવલ્લી, સાબરકાંઠા સહિત મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.


અંબાલાલ પટેલે કરી આગાહી!

રાજ્યના અનેક શહેરોમાં થોડા સમય પહેલા કમોસમી વરસાદ વરસ્યો હતો. જેને કારણે ગરમીમાં આંશિક ઘટાડો થયો હતો. પરંતુ છેલ્લા થોડા દિવસોથી તાપમાનનો પારો સતત વધતો જઈ રહ્યો છે. કાળઝાળ ગરમીનો પારો સતત વધતો જઈ રહ્યો છે ત્યારે ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 


આ તારીખે વરસી શકે છે વરસાદ!

અંબાલાલ પટેલની આગાહી મુજબ 25,26,27, 28 અને 29 તારીખ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ થવાની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. અરબી સમુદ્રમાં હલચલ થતાં કમોસમી વરસાદ વરસી શકે છે. થરાદ, વાવ, અરવલ્લી, સાબરકાંઠા સહિત મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે.  


અનેક શહેરોમાં રહેશે વાદળછાયું વાતાવરણ! 

હવામાન વિભાગ દ્વારા પણ આ અંગે જાણકારી આપવામાં આવી હતી. પશ્ચિમ દિશા તરફથી પવન વહેવાને કારણે ભેજ વાળું વાતાવરણ રહેશે. ઉપરાંત રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. વાતાવરણમાં પલટો આવતા મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે. જેને કારણે બેથી ચાર ડિગ્રી તાપમાન ઓછું થવાની સંભાવના છે. તે સિવાય માછીમારોને પણ આગામી થોડા દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે.     



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!