વરસાદને લઈ હવામાન નિષ્ણાત Ambalal Patelએ કરી આગાહી, આ તારીખ બાદ ગુજરાતમાં થઈ શકે છે વરસાદ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-05-18 18:35:15

તાપમાનનો પારો એટલો બધો ઉંચકાયો છે કે વરસાદ ક્યારે આવશે તેની રાહ લોકો જોઈ રહ્યા છે.. વરસાદ આવે અને ઠંડક પ્રસરે.. આ વખતનું ઉનાળું કપરૂં સાબિત થશે તેવી આગાહી ઘણા સમયથી કરવામાં આવી રહી હતી.. ગરમી ભુક્કા બોલાવશે તેવી વાત હવામાન વિભાગ તેમજ નિષ્ણાત દ્વારા કરવામાં આવી અને વાત સાચી પણ સાબિત થઈ રહી છે. આ બધા વચ્ચે ચોમાસાને લઈ, વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે.


21મે બાદ વાતાવરણમાં આવી શકે છે પલટો 

રાજ્યના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો.. ગરમીની આગાહીની વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી. કમોસમી વરસાદ થતા ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું.. પાકને મોટા પાયે નુકસાન થયું.. ગરમીથી રાહત ક્યારે મળશે તેની રાહ લોકો જોઈ રહ્યા છે. ચોમાસાનું આગમન આ વખતે વહેલા થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી.. આવનાર દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેનું અનુમાન અંબાલાલ પટેલે કર્યું છે. તેમણે કહ્યું કે 21 મે બાદ વાતાવરણમાં પલટો આવશે અને ગરમીથી રાહત મળશે.. 


શું કહે છે અંબાલાલ પટેલની આગાહી?  

અંબાલાલ પટેલે કહ્યું કે આગામી ચાર દિવસો દરમિયાન વાતાવરણ યથાવત રહેશે.. રાજ્યના તાપમાનનો પારો સતત વધી રહ્યો છે.. 45 ડિગ્રી આસપાસ પારો પહોંચવા આવ્યો છે. 47 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તાપમાનનો પારો 21 તારીખ સુધી યથાવત રહી શકે છે અને તે બાદ હવામાનમાં પલટો આવશે.. 4 જૂન બાદ વરસાદ આવી શકે છે તેવી સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. 


વધારે પ્રમાણમાં પીવું જોઈએ પાણી

મહત્વનું છે કે ના માત્ર ગુજરાતનું તાપમાન વધી રહ્યું છે પરંતુ દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં કાળઝાળ ગરમી પડી રહી છે.. તાપમાનનો પારો પોતાનો જ રેકોર્ડ તોડી રહ્યો હોય તેવું લાગે છે.. ગુજરાતના અનેક ભાગો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે.. ત્યારે તમે પણ ઘરની બહાર ત્યારે જ નીકળજો જો ખૂબ જરૂરી કામ હોય.. ગરમીથી બચવા માટે પાણી વધારે પીવું જોઈએ, પોતાની બોડીને હાઈડ્રેટેડ રાખવી જોઈએ.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.