Weather Analysis : Gujaratમાં ફરી આવશે મુસીબતનું માવઠું! આ વિસ્તારમાં રહેતા ખેડૂતોની વધી ચિંતા


  • Published By :
  • Published Date : 2023-12-19 16:55:04

શિયાળામાં માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. એક તરફ ડુંગળી પકવતા ખેડૂતો વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ આવનાર દિવસોમાં ફરી એક વખત કમોસમી વરસાદ આવી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રના રાજકોટમાં, અમરેલી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ આવી શકે છે. માવઠાની આગાહી કરાતા જગતના તાતની ચિંતામાં વધારો થયો છે. ત્રણ દિવસ બાદ તાપમાનમાં ફેરફાર થઈ શકે છે અને પારો ગગડી શકે છે જેને કારણે ઠંડીનું પ્રમાણ વધી શકે છે. 

આ વિસ્તારોમા આવી શકે છે મુસીબતનું માવઠું 

રાજ્યના અનેક શહેરોનું તાપમાન 15 ડિગ્રીની નીચે પહોંચ્યું હતું. અમદાવાદમાં પણ 13 ડિગ્રી પર પારો પહોંચી ગયો જ્યારે નલિયાનો પારો 11 ડિગ્રી આસપાસ ગગડી ગયો હતો. ઠંડીનો અહેસાસ ધીરે ધીરે થવા લાગ્યો હતો પરંતુ આગામી કલાકોમાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના અમરેલી, પોરબંદર અને દ્વારકા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. 



આવનાર દિવસમાં વધી શકે છે ઠંડીનો પારો

આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્રણ દિવસ બાદ તાપમાનમાં ફેરફાર થઈ શકે છે. ત્રણ દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે જેને કારણે ઠંડીના ચમકારાનો અનુભવ થઈ શકે છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.