Weather Analysis - Gujarat પર મંડરાતો વાવાઝોડાનો ખતરો,જાણો વરસાદને લઈ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-08-30 14:54:28

રાજ્યમાં ધીરે ધીરે વરસાદનું જોર ઘટી રહ્યું છે... અનેક જગ્યાઓ પર વરસાદની તીવ્રતા ઘટી છે.. સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યને મેઘરાજા ઘમરોળી રહ્યા હતા... વરસાદનો ખતરો તો ઓછો થયો છે પરંતુ આગામી 48 કલાક રાજ્યમાં વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ડીપ ડિપ્રેશન સર્જાતા વાવાઝોડાનો સંકટ કચ્છ પર આવી ગયો છે. સંભવિત વાવાઝોડાની અસર કચ્છના માંડવી, અબડાસા અને લખપત તાલુકામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. લોકોને સુરક્ષિત સ્થળ પર જતા રહેવા કલેક્ટરે અપીલ કરી છે..  

ક્યાંક અનાધાર તો ક્યાંક વરસાદની પ્રતિક્ષા 

ગુજરાતમાં રવિવારથી વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદી મહેર કહેર બનીને વરસ્યો છે.  વરસાદે અનેક જિલ્લાઓની હાલત કફોળી બનાવી દીધી હતી. દ્રશ્યો આપણી સામે આવ્યા છે જેમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને લોકોને અગવડનો સામનો કરવો પડી રહ્યો છે. વડોદરામાં તો સ્થિતિ એટલી ભયંકર છે કે વરસાદી પાણી ઉતરવાના શરૂ થઈ ગયા છે પરંતુ તે પછીની પરિસ્થિતિ કપરી હશે. અનેક જિલ્લામાં રહેતા લોકો વરસાદ ક્યારે ખમૈયા કરે તેની પ્રતિક્ષામાં છે તો અનેક વિસ્તારો એવા છે જ્યાં રહેતા લોકો વરસાદની પ્રતિક્ષા કરી રહ્યા છે. આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગે કરી છે.


અનેક વિસ્તારો માટે ઓરેન્જ અને યલો એલર્ટ

હવામાન વિભાગે આજ માટે અનેક વિસ્તારો માટે ઓરેન્જ તેમજ યલો એલર્ટ જાહેર કર્યું છે..મોટા ભાગોના વિસ્તારોમાં વરસાદની આગાહી નથી કરવામાં આવી.. આગાહીની વાત કરીએ તો કચ્છ, જામનગર. દેવભૂમિ દ્વારકા, પોરબંદર માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે જ્યારે મોરબી, રાજકોટ, જૂનાગઢ તેમજ ગીર સોમનાથ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 31મી તારીખની વાત કરીએ તો કચ્છ. જામનગર, દ્વારકા, પોરબંદર તેમજ નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.



સપ્ટેમ્બરમાં પણ થશે ઝાપટાનો અનુભવ

હવામાન નિષ્ણાતો અનુસાર સપ્ટેમ્બરમાં પણ વરસાદી ઝાપટા આવવાના શરૂ રહેશે.. પહેલી તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. તે સિવાય બીજી તારીખે વડોદરા, છોટા ઉદેપુર માટે ઓરેન્જ એલર્ટ જ્યારે ભાવનગર, આણંદ, ભરૂચ, નર્મદા, પંચમહાલ તેમજ દાહોદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. ત્રીજી તારીખે અનેક ભાગો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.




પાંચમી તારીખે આ વિસ્તારો માટે આપવામાં આવ્યું એલર્ટ

વિસ્તારોની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, નવસારી, ડાંગ, તાપી, વલસાડ, દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ભરૂચ અને નર્મદા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ચોથી તારીખે ભરૂચ અને વડોદરા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તે સિવાય અનેક ભાગો માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. પાંચમી તારીખે પંચમહાલ, વડોદરા અને ભરૂચ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તમારે ત્યાં વરસાદી પાણી ભરાયા હતા કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો..   



માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.

આપણી આસપાસ એવા લોકો હશે જે ખાવાની કદર નહીં કરતા હોય... અન્નો અનાદર કરતા હોય.. થાળીમાં પીરસાતા ભોજનનો તીરસ્કાર કરતા હોય છે, અથવા તો એંઠું મૂકી દેતા હોય છે, પરંતુ આ સમયે તે નથી વિચારતા કે અન્નને તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો હશે અને કેટલી મહેનત લાગી હશે..

વિધાનસભામાં પણ શિક્ષકોની ઘટનો મુદ્દો ઉઠ્યો છે.. અનેક વખત અલગ અલગ રીતથી ઉમેદવારો સરકાર સુધી પોતાની વાત મૂકવાનો પ્રયત્ન કરે છે ત્યારે ફરી એક વખત ઉમેદવારો પોતાની માગ સાથે પહોંચ્યા છે પરંતુ સરકાર સમક્ષ નહીં પરંતુ ગણપતિ દાદા સમક્ષ....

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ગાડીઓ હવામાં ઉડી રહી હોય તેવું લાગે.. હાલમાં જ અલવરમાં દિલ્હી-વડોદરા એક્સપ્રેસ-વેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો, જેમાં જોવા મળ્યું હતું કે રસ્તામાં ખામીને કારણે પૂરપાટ ઝડપે ચાલતી કાર હવામાં ઊછળી રહી છે.