Weather Analysis : ગુજરાતમાં પ્રવેશતાની સાથે જ ચોમાસું નબળું પડ્યું...! શું કહે છે હવામાન વિભાગની આગાહી, તમારા જિલ્લામાં વરસાદ ક્યારે?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-14 11:15:32

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો હતો પરંતુ ધીરે ધીરે ચોમાસું નબળું પડી ગયું.. ચોમાસાનું આગમન ચાર દિવસ પહેલા થયું હતું જેને કારણે ખેડૂતોમાં આનંદ હતો પરંતુ ચોમાસું આવતાની સાથે જ નબળું પડી ગયું જેને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.. માત્ર થોડા સમયની અંદર ગુજરાતમાં પ્રવેશેલું ચોમાસું નબળું પડી જતા આખા રાજ્યમાં વરસાદ વરસી રહ્યો હોય તેવું બન્યું નથી. હવામાન વિભાગ દ્વારા આગાહી તો કરવામાં આવે છે પરંતુ છુટાછવાયા સ્થળો માટે. માત્ર થોડા વિસ્તારો માટે જ વરસાદની આગાહી કરવામાં આવે છે.

આજે આ વિસ્તારમાં વરસી શકે છે વરસાદ 

કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા.. વરસાદ આવશે અને ગરમીથી મુક્તિ મળશે. આ વખતે ચોમાસાનું આગમન ધાર્યા કરતા વહેલા થઈ ગયું જેને કારણે લોકોમાં આનંદ હતો. વરસાદની આગાહી તો કરવામાં આવે છે અનેક સ્થળો પર વરસાદ પણ વરસે છે પરંતુ દરેક જગ્યા પર વરસાદ થતો નથી જેને કારણે બફારો વધી જાય છે અને ઉકળાટ વધે છે.. હવામાન વિભાગની આગાહી અનુસાર  મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલીમાં આજે વરસાદ વરસી શકે છે.. .

Image


Image

Image

17 તારીખ સુધીનું જાણીલો કેવું રહેશે હવામાન 

આવતી કાલ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, છોટા ઉદેપુર, નવસારી, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલીમાં છુટા છવાયો વરસાદ વરસી શકે છે. 16 તેમજ 17 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલીમાં વરસાદ વરસી શકે છે.   

Image


Image

વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે... 

વરસાદના શ્રી ગણેશ થતાં ખેડૂતોમાં આશા જાગી હતી, વાવણી પણ શરૂ કરી દીધી હતી.. આ વખતે સારો વરસાદ આવશે તેવી આશા દર વખતે ખેડૂતો રાખતા હોય છે પરંતુ વરસાદ અનેક વખત દગો કરી દેતો હોય છે ખેડૂતો સાથે.. વરસાદની સિસ્ટમ નબળી પડતા સૌથી વધારે ચિંતા ખેડૂતોને થતી હશે જેમનું જીવન વરસાદના આગમન પર નિર્ભર હોય છે..! 19 તારીખ સુધી તો સારો વરસાદ નહીં આવે, સાર્વત્રિક વરસાદ નહીં આવે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વરસાદ આવવાની પાછળ અનેક પરિબળો અસર કરતા હોય છે.. વરસાદ ના આવે તો આપણને તો માત્ર ગરમી, બફારો સહન કરવો પડે છે પરંતુ વરસાદ ખેંચાતા જગતના તાતની ચિંતા વધી જતી હોય છે..  



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.