Weather Analysis : લો પ્રેશર સિસ્ટમ ગુજરાતમાં લાવશે વરસાદ, જાણો વરસાદને લઈ શું કરાઈ છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-09-12 16:41:33

સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાં વરસાદની સારી બેટિંગ જોવા મળી રહી છે. ઓગસ્ટ મહિનાની જેમ સપ્ટેમ્બર મહિનાએ ખેડૂતોને દુખી નથી કર્યા. સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં વરસાદની મહેર જોવા મળી રહી છે. રાજ્યના અનેક ભાગોમાં વરસાદની પધરામણી થઈ છે. ગુજરાતના કેટલાય ભાગોમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે આગામી દિવસો પણ વરસાદી માહોલ જામશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે. 



ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી જામ્યો છે વરસાદી માહોલ 

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત તો ધમાકેદાર થઈ હતી. જૂન જુલાઈ મહિના દરમિયાન વરસાદે સારી બેટિંગ પણ કરી હતી પરંતુ ઓગસ્ટ મહિનાએ દગો આપી દીધો. ઓગસ્ટ મહિનો એકદમ કોરો સાબિત થયો છે. રાજ્યના અનેક ભાગોમાં જ છુટો છવાયો વરસાદ નોંધાયો હતો ત્યારે સપ્ટેમ્બર મહિનામાં ફરી એક વખત વરસાદી મોસમ એક્ટિવ થઈ છે. છેલ્લા થોડા દિવસોથી ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ વરસ્યો હતો. 



આ ભાગોમાં વરસી શકે છે વરસાદ 

બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં ફરી એક વખત વરસાદી રાઉન્ડ જામશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. લો પ્રેશર સિસ્ટમ સર્જાવાને કારણે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ વરસી શકે છે તેવી સંભાવના છે. તે ઉપરાંત કચ્છમાં પણ સારો વરસાદ વરસવાની સંભાવના છે. 



ગુજરાતમાં આ તારીખથી ફરી જામશે વરસાદી માહોલ 

17 સપ્ટેમ્બરથી રાજ્યમાં ફરી એક વખત વરસાદી સિસ્ટમ સક્રિય થવાની છે. આ વખતે જે સિસ્ટમ સક્રિય થશે તેની અસર 24 સપ્ટેમ્બર સુધી ગુજરાતના હવામાન પર વર્તાશે. દક્ષિણ ગુજરાત તેમજ પૂર્વ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે. વલસાડ, ડાંગ, ભરૂચ, મહિસાગર, પંચમહાલ, છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં વરસાદ ખાબકી શકે છે તેવી આગાહી કરવામાં આવી  છે. 



અમદાવાદમાં છવાયેલું રાખશે વાદળછાયું વાતાવરણ

આગામી પાંચ દિવસ રાજ્યમાં છુટો છવાયો વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. સુરતના અનેક ભાગોમાં છુટોછવાયો વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે.    


વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આ આગાહી  

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે. તેમની આગાહી મુજબ 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન ગુજરાતના કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે. એવી પણ આગાહી કરી કે હવાના હળવા દબાણને કારણે ઓક્ટોબરમાં વાવાઝોડાની અસર સર્જાશે.17 ઓક્ટોબરના સમુદ્રમાં ભારે પવન ફૂકાશે અને નવરાત્રીમાં વાદળ છાયું વાતાવરણ રહેશે અને વરસાદની પણ સંભાવનાઓ છે. નવરાત્રીમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેને કારણે ખેલૈયાઓની ચિંતા વધી છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!