Weather Analysis : વરસાદની દ્રષ્ટિએ આ જિલ્લાઓ માટે આજનો દિવસ ભારે છે! અંબાલાલ પટેલે નવા અંદાજમાં કરી વરસાદની આગાહી! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-09 13:28:40

ગુજરાતમાં વરસાદે અનેક રેકોર્ડ તોડ્યા છે. રાજ્યમાં મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. વરસાદના બીજા રાઉન્ડે ગુજરાતને ધમરોળી નાખ્યું છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.  જે મુજબ અનેક જિલ્લાઓમાં રેડ તેમજ ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. આગામી બે દિવસ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે. છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદની વાત કરીએ તો રાજ્યના 224 તાલુકાઓમાં વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં જામનગરમાં સૌથી વધારે વરસાદ થયો છે.  



આ જગ્યાઓ માટે અપાયું છે એલર્ટ

હવામાન વિભાગની આગાહીની વાત કરી એ તો આગામી 48 કલાક રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી શકે છે. ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. આજ માટે કરાયેલી આગાહીની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, તો દક્ષિણ ગુજરાતના સુરત નવસારી, વલસાડ ઉપરાંત  સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, મોરબી, પોરબંદર અને કચ્છમાં ધોધમાર વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. એલર્ટ આપવામાં આવેલા જિલ્લાની વાત કરીએ તો રેડ એલર્ટ જામનગર, દ્વારકા તેમજ પોરબંદર માટે છે, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, દ્વારકા,પોરબંદર તેમજ બનાસકાંઠા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

નક્ષત્ર મુજબ અંબાલાલ પટેલ કરે છે આગાહી 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈ આગાહી કરી છે. જે મુજબ બનાસકાંઠામાં પૂર આવી શકે છે. અંબાલાલ કાકાએ પહેલા આગાહી કરી હતી કે જુલાઈમાં વરસાદની જમાવટ જોવા મળી શકે છે. અને તેમનું અનુમાન દર વખતની જેમ સાચુ સાબિત થતું જણાઈ રહ્યું છે. અંબાલાલ કાકા નક્ષત્રોને ધ્યાનમાં રાખી વરસાદની આગાહી કરતા હોય છે. આ વખતની આગાહી માટે પણ તેમણે નક્ષત્રના આધારે આગાહી કરી છે જે મુજબ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. 15 જુલાઈ બાદ વરસાદનો ત્રીજો રાઉન્ડ પણ શરૂ થઈ શકે છે. મહત્વનું છે કે ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. 


ફરી એક વખત ખુલી પ્રિમોન્સુન કામગીરીની પોલ 

ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. અનેક જગ્યાઓ પર ભૂવા પડી ગયા છે. અનેક જિલ્લાઓ એવા છે જ્યાં વરસાદી પાણી ઘરમાં ઘૂસી ગયા છે. અમદાવાદમાં પણ ગઈકાલ સાંજથી વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે. અનેક જગ્યાઓ એવી જ્યાં પાણી એટલા ભરાઈ ગયા છે કે વાહનો પણ બંધ પડી જાય છે.  તંત્ર દ્વારા કરવામાં આવતી પ્રિ-મોનસુનની કામગીરીની પોલ જેમ દર વખતે ખુલે છે તેમ આ વખતે પણ ખુલ્લી છે. સ્માર્ટ સિટીને લઈ કરવામાં આવતા દાવાઓ પોકળ સાબિત થયા છે.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!