Weather Analysis : આ તારીખો બાદ મેઘરાજા Gujaratમાં ધબધબાટી બોલાવશે! જાણો વરસાદને લઈ Ambalal Patelએ શું કરી આગાહી?


  • Published By :
  • Published Date : 2023-09-14 13:30:12

ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. મેઘરાજા ફરી ધબધબાટી બોલાવા માટે તૈયાર હોય તેવું લાગી રહ્યું છે. કોઈ જગ્યાઓ પર ભારે વરસાદ વરસી રહ્યો છે તો કોઈ જગ્યા પર ધીમો વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસો દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા અને હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે. 17 તારીખ બાદ ગુજરાતમાં વરસાદ ધબધબાટી બોલાવશે તેવી આગાહી કરાઈ છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.


સપ્ટેમ્બરમાં આવેલા વરસાદને કારણે ખેડૂતોના જીવમાં જીવ આવ્યો 

ચોમાસાની શરૂઆત તો ગુજરાતમાં ધમાકેદાર થઈ હતી. જુન તેમજ જુલાઈમાં વરસાદ સારો વરસ્યો હતો પરંતુ ઓગસ્ટ મહિનામાં વરસાદે વિરામ લીધો હતો. વરસાદ ન થવાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. શરૂઆતમાં સારો વરસાદ વરસ્યો હતો જેને લઈ ખેડૂતોએ વાવણી કરી દીધી હતી અને સારો પાક થશે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા હતા. પરંતુ ઓગસ્ટ મહિનો કોરોકટ સાબિત થયો હતો જેને કારણે ખેડૂતોની ચિંતામાં સતત વધારો થયો હતો. પાક નિષ્ફળ જશે તેનો ડર જગતના તાતને સતાવી રહ્યો હતો. પરંતુ સપ્ટેમ્બર મહિનામાં વરસાદની મહેર જોવા મળી રહી છે. ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. 


આ તારીખો દરમિયાન ગુજરાતમાં જામશે વરસાદી માહોલ 

બંગાળની ખાડીમાં જ્યારે લો પ્રેશર સર્જાય છે ત્યારે ત્યારે ગુજરાતમાં વરસાદ આવે છે. વરસાદની સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેને કારણે ફરી એક વખત ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ વરસવાનો છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આવતી કાલથી આગામી પાંચ દિવસો દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, નવસારી, તાપી, વલસાડ, દાહોદ, મહિસાગર સહિતના ભાગોમાં વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.



17 તારીખ બાદ ગુજરાતમાં આવશે મેઘસવારી 

17 તારીખ બાદ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. 16 તારીખની વાત કરીએ તો આ તારીખે છોટાઉદેપુર, સુરત,ડાંગ, નવસારી, વલસાજ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ સહિતના ભાગોમાં વરસાદની સંભાવના છે જ્યારે 17 તારીખે અમદાવાદ સહિત આ વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ વરસશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી  છે. આગામી ચાર દિવસ દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 


અંબાલાલ પટેલે વરસાદને લઈ કરી આ આગાહી 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈ આગાહી કરી છે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેને કારણે સપ્ટેમ્બરના બાકી રહેલા દિવસોમાં વરસાદી માહોલ જોવા મળશે. અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આગામી દિવસો દરમિયાન જૂનાગઢ, પોરબંદર,ડાંગ, નવસારી, વિસાવદર, ગોધરા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. તે ઉપરાંત આણંદ, ખેડા,વડોદરા, છોટા ઉદેપુર, નડીયાદ, થરાદ સહિતના ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. પાલનપુર, થરાદ, ભૂજ, બાયડ, પાટણ સહિતના વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી શકે છે. 


પરેશ ગોસ્વામીએ કહ્યું કે વરસાદનો રાઉન્ડ હજી બાકી છે!

અંબાલાલ પટેલ ઉપરાંત હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. તેમના અનુમાન અનુસાર સપ્ટેમ્બરમાં વરસાદનો બીજો રાઉન્ડ આવવાનો બાકી છે. 16થી 22 સપ્ટેમ્બર સુધી વરસાદની જોરદાર બેટિંગ ગુજરાતમાં જોવા મળશે તેવી આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે. મહત્વનું છે કે સિઝનનો અનેક ઘણો વરસાદ હજી સુધીમાં વરસી ગયો છે. સારો વરસાદ આવવાને કારણે ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે અને જળાશયોમાં પાણીની આવક થઈ છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!