Weather Analysis : આ તારીખો બાદ મેઘરાજા Gujaratમાં ધબધબાટી બોલાવશે! જાણો વરસાદને લઈ Ambalal Patelએ શું કરી આગાહી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-14 13:30:12

ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. મેઘરાજા ફરી ધબધબાટી બોલાવા માટે તૈયાર હોય તેવું લાગી રહ્યું છે. કોઈ જગ્યાઓ પર ભારે વરસાદ વરસી રહ્યો છે તો કોઈ જગ્યા પર ધીમો વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસો દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા અને હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે. 17 તારીખ બાદ ગુજરાતમાં વરસાદ ધબધબાટી બોલાવશે તેવી આગાહી કરાઈ છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.


સપ્ટેમ્બરમાં આવેલા વરસાદને કારણે ખેડૂતોના જીવમાં જીવ આવ્યો 

ચોમાસાની શરૂઆત તો ગુજરાતમાં ધમાકેદાર થઈ હતી. જુન તેમજ જુલાઈમાં વરસાદ સારો વરસ્યો હતો પરંતુ ઓગસ્ટ મહિનામાં વરસાદે વિરામ લીધો હતો. વરસાદ ન થવાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. શરૂઆતમાં સારો વરસાદ વરસ્યો હતો જેને લઈ ખેડૂતોએ વાવણી કરી દીધી હતી અને સારો પાક થશે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા હતા. પરંતુ ઓગસ્ટ મહિનો કોરોકટ સાબિત થયો હતો જેને કારણે ખેડૂતોની ચિંતામાં સતત વધારો થયો હતો. પાક નિષ્ફળ જશે તેનો ડર જગતના તાતને સતાવી રહ્યો હતો. પરંતુ સપ્ટેમ્બર મહિનામાં વરસાદની મહેર જોવા મળી રહી છે. ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. 


આ તારીખો દરમિયાન ગુજરાતમાં જામશે વરસાદી માહોલ 

બંગાળની ખાડીમાં જ્યારે લો પ્રેશર સર્જાય છે ત્યારે ત્યારે ગુજરાતમાં વરસાદ આવે છે. વરસાદની સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેને કારણે ફરી એક વખત ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ વરસવાનો છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આવતી કાલથી આગામી પાંચ દિવસો દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, નવસારી, તાપી, વલસાડ, દાહોદ, મહિસાગર સહિતના ભાગોમાં વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.



17 તારીખ બાદ ગુજરાતમાં આવશે મેઘસવારી 

17 તારીખ બાદ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. 16 તારીખની વાત કરીએ તો આ તારીખે છોટાઉદેપુર, સુરત,ડાંગ, નવસારી, વલસાજ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ સહિતના ભાગોમાં વરસાદની સંભાવના છે જ્યારે 17 તારીખે અમદાવાદ સહિત આ વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ વરસશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી  છે. આગામી ચાર દિવસ દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 


અંબાલાલ પટેલે વરસાદને લઈ કરી આ આગાહી 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈ આગાહી કરી છે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેને કારણે સપ્ટેમ્બરના બાકી રહેલા દિવસોમાં વરસાદી માહોલ જોવા મળશે. અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આગામી દિવસો દરમિયાન જૂનાગઢ, પોરબંદર,ડાંગ, નવસારી, વિસાવદર, ગોધરા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. તે ઉપરાંત આણંદ, ખેડા,વડોદરા, છોટા ઉદેપુર, નડીયાદ, થરાદ સહિતના ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. પાલનપુર, થરાદ, ભૂજ, બાયડ, પાટણ સહિતના વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી શકે છે. 


પરેશ ગોસ્વામીએ કહ્યું કે વરસાદનો રાઉન્ડ હજી બાકી છે!

અંબાલાલ પટેલ ઉપરાંત હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. તેમના અનુમાન અનુસાર સપ્ટેમ્બરમાં વરસાદનો બીજો રાઉન્ડ આવવાનો બાકી છે. 16થી 22 સપ્ટેમ્બર સુધી વરસાદની જોરદાર બેટિંગ ગુજરાતમાં જોવા મળશે તેવી આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે. મહત્વનું છે કે સિઝનનો અનેક ઘણો વરસાદ હજી સુધીમાં વરસી ગયો છે. સારો વરસાદ આવવાને કારણે ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે અને જળાશયોમાં પાણીની આવક થઈ છે.



મંજીલ સુધી પહોંચવાની ચાહના લોકોને હોય છે.. ક્યાંક પહોંચવાની દોડમાં લોકો વ્યસ્ત થઈ રહ્યા છે પરંતુ ક્યાં પહોંચવું છે તેની ખબર નથી હોતી. જ્યારે આપણે ખોટા રસ્તા પર જઈએ છીએ. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે

દાહોદની ઘટનામાંથી કે સુરેન્દ્રનગરમાં બાળકી પર દુષ્કર્મની ઘટનામાંથી આપણે બહાર નથી આવ્યા ત્યાં ફરી એકવાર વડોદરામાં આ પ્રકારની ઘટના બની છે... વિકૃત માનસિકતા ધરાવનાર અપરાધીઓ નાની બાળકીઓને પણ નથી છોડતા... ગરબા રમવા ગયેલી સગીરા પર દુષ્કર્મ થયું હોય તેવી માહિતી સામે આવી છે.

થોડા દિવસ પહેલા તુરખેડાથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં મહિલાને ઝોળી કરીને લઈ જવા લોકો મજબૂર બન્યા હતા... રસ્તાના અભાવે બાળકે પોતાની માતાને ગુમાવી છે.. આ ઘટનાની નોંધ હાઈકોર્ટે લીધી છે અને સુઓમોટો દાખલ કરી છે.. સરકારને તીખા સવાલો કર્યા છે અને જવાબ આપવા માટે કહ્યું છે....

નવરાત્રીના બીજા નોરતે માતા દુર્ગાના બીજા સ્વરૂપની એવા માતા બ્રહ્મચારીણીની આરાધના કરવામાં આવે છે. માતાજી શ્વેત વસ્ત્રો ધારણ કરનારા દેવી છે... બ્રહ્મચારિણી માતા ભક્તોને મનોવાંચ્છિત ફળ આપનારા છે.