પાટીદાર આંદોલન સમયના તમામ કેસ પાછા ખેંચીશુંઃ ઈસુદાન ગઢવી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 14:28:30

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતની જનતાનું સમર્થન મેળવવા આમ આદમી પાર્ટીએ મોટી જાહેરાત કરી. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક ઈસુદાન ગઢવીએ જાહેરાત કરી છે કે પાટીદારોના અનામત માટેના આંદોલનમાં નોંધાયેલ પોલીસ કેસ પાછા ખેંચીશું. ઈસુદાન ગઢવીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતાની સાથે જ પાટીદાર અનામત આંદોલનના તમામ પોલીસ કેસ પાછા ખેંચી લેવામાં આવશે. 

પાટીદાર આંદોલનમાં નોંધાયેલ કેસ પાછા ખેંચીશુંઃ ઈસુદાન ગઢવી 

ગુજરાતમાં પાટીદારોની સંખ્યા મોટી સંખ્યામાં છે. ગુજરાતના મોટી સંખ્યાના પાટીદારો જમીન હોવાના કારણે આર્થિક સદ્ધર છે. તેમની ગુજરાતમાં મોટી વૉટબેન્ક છે ત્યારે પાટીદાર આંદોલન અને અન્ય તમામ આંદોલનોમાં નોંધાયેલા કેસો પાછા ખેંચી લેવશે તેવી ઈસુદાન ગઢવીએ જાહેરાત કરી હોય શકે તેવું વરિષ્ઠ પત્રકારોનું માનવું છે. ગુજરાતની ચૂંટણીના પરિણામોમાં પાટીદાર ફેક્ટરનો મોટો ભાગ ભજવતું હોય છે ત્યારે આમ આદમી પાર્ટીએ મોટી જાહેરાત કરી છે.



એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.