અમે બોર્ડર પર છીએ, તમે શાંતિથી દિવાળી મનાવો - સરહદની રક્ષા કરતા દેશના જવાન


  • Published By :
  • Published Date : 2022-10-24 08:56:09

સમગ્ર દેશવાસીઓ દિવાળીનો તહેવાર મનાવી રહ્યા છે. આપણો દેશ સુરક્ષિત છે તેની પાછળનું કારણ છે દેશના સરહદની રક્ષા કરતા આપણા સૈનિકો. દેશની સીમા પર દેશના જવાનો ખડેપગે પોતાની ફરજ બજાવી રહ્યા છે જેને કારણે નિશ્ચિત પણે આપણા તહેવારની ઉજવણી કરી શકીયે છીએ. ત્યારે ભારતીય જવાનોએ જમ્મુમાં LoC પર દિવાળી મનાવી છે. 

અમે બોર્ડર પર ઉભા છીએ, તમે શાંતિથી દિવાળી મનાવો - ભારતીય આર્મી 

દેશની સુરક્ષા કરવા આર્મીના જવાનો પોતાના ઘરથી તેમજ પોતાના પરિવારથી દૂર રહેતા હોય છે. પરિવારથી દૂર રહી તેઓ તહેવારોની ઉજવણી કરતા હોય છે. સેનાના જવાનોએ દિવાળીની ઉજવણી કરતા સંદેશો આપ્યો કે અમે બોર્ડર પર ઉભા છીએ, તમે શાંતિથી દિવાળી મનાવો. દીવા  પ્રગટાવી તેમજ ફટાકડા ફોડી આર્મીના જવાનોએ દિવાળીની ઉજવણી કરી હતી.

  

વડાપ્રધાન મોદી સરહદ પર સૈનિકો સાથે કરશે દિવાળીની ઉજવણી 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દિવાળીનો તહેવાર આર્મી જવાનો સાથે મનાવતા આવ્યા છે. જ્યારથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે ત્યારથી તેઓ દર વર્ષે આર્મીની સાથે દિવાળીની ઉજવણી કરતા હોય છે. અલગ અલગ સરહદો પર જઈ તેઓ દિવાળીનો પર્વ મનાવતા હોય છે. આ વર્ષે પણ તેઓ સરહદ પર પોતાની દિવાળી મનાવાના છે.           



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.