સુરત સિવિલમાં થયો પાણીનો વેડફાટ, મોટર બંધ ન કરાતા ટ્રોમા સેન્ટરની બહાર ભરાયું પાણી


  • Published By :
  • Published Date : 2023-03-01 16:44:01

ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ગરમીનો અહેસાસ લોકોને થવા લાગ્યો છે. ત્યારે ઉનાળાના સમય દરમિયાન પાણીની માગમાં વધારો થતો હોય છે. અનેક વખત પાણી માટે વલખા મારતા લોકો પણ આપણને મળે છે. ત્યારે સુરતથી એવા ફોટા સામે આવ્યા છે જેમાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. સિવિલ તંત્રની બેદરકારીને કારણે સિવિલના ટ્રોમા સેન્ટરની બહાર પાણી ભરાઈ ગયું છે. ભર ઉનાળે ચોમાસા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પાણી ભરાવાને કારણે હોસ્પિટલમાં આવતા દર્દીઓ, દર્દીઓના પરિવારજનો તેમજ ડોક્ટરોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

દર્દી અને તેના સંબંધીઓને પાણી વચ્ચેથી પસાર થવાની ફરજ પડી હતી.


સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં થયો પાણીનો વેડફાટ 

સિવિલ હોસ્પિટલ કોઈને કોઈ કારણોસર વિવાદમાં રહેતી હોય છે. એ અમદાવાદની સિવિલ હોસ્પિટલ હોય કે પછી સુરતની સિવિલ હોસ્પિટલ હોય. સુરત સિવિલ ફરી એક વખત ચર્ચામાં આવી છે. ગુજરાતમાં એક તરફ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે તો બીજા તરફ સુરત સિવિલમાં હજારો લીટર પાણી વેડફાતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સિવિલ પ્રશાસનની બેદરકરારીને કારણે સિવિલ હોસ્પિટલનું કેમ્પસ પાણીથી ભરાઈ ગયું છે. સમયસર ટાંકીની મોટર બંધ ન કરાતા સિવલિ હોસ્પિટલમાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો.   

પાર્કિંગમાં પણ પાણી ઘુસી ગયાં હતાં.

સ્ટ્રેચરને પણ પાણી વચ્ચેથી લઈ જવાની ફરજ પડી હતી.

દર્દીઓને હાલાકી વેઠવાનો આવ્યો વારો 

એવા દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં ઈમર્જન્સી સારવાર માટે આવતા દર્દીઓ એવા ટ્રોમા સેન્ટરની બહાર જ જોવા મળ્યો છે. ટ્રોમા સેન્ટરની બહાર પરિસર પાણીથી ઉભરાઈ ગયું હતું. કેમ્પસમાં પાણીનો ભરાવો થતા દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. દર્દીઓને પાણીમાં પસાર થવાનો વારો આવ્યો હતો. દર્દીઓને સ્ટ્રેચર પર લઈ જવાની ફરજ પડી હતી. એટલું પાણી ભરાઈ ગયું હતું કે પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનો સુધી પાણી ભરાઈ ગયા હતા. સિવિલ તંત્રની ઘોરબેદરકારીને કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.   




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.