મુંબઈમાં વોટર ટેન્કર એસોસિયેશનની હડતાલથી લોકો ત્રાહિમામ, તંત્રએ કાર્યવાહીની ચેતવણી આપી


  • Published By :
  • Published Date : 2023-02-14 17:59:38

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલી વોટર ટેન્કર એસોશિયેશનની હડતાલથી લોકો પરેશાન થયા છે. એસોસિયેશન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે હડતાલના કારણે અનેક હોટેલો, ક્લબ, મોલ, હાઉસિંગ સોસાયટીઝમાં જળ સંકટ સર્જાયું છે. અત્રે ઉલ્લેખનિય છે કે કેન્દ્રિય ભૂજળ ઓથોરિટીએ આપેલી નવી સુચનાના વિરોધમાં એસોસિયેશનના લગભગ 2500 ટેન્કર ચાલકો હડતાલ પર ઉતરી ગયા છે. તેમની માગ છે કે તે લેખિત આશ્વાસન વગર તેમની હડતાલ સમાપ્ત કરશે નહીં. 


શા માટે હડતાલ?


મુંબઈ શહેરમાં કેન્દ્રીય ભૂજળ ઓથોરિટીએ ટેન્કર સંચાલકો માટે ખાસ ગાઈડલાઈન્સ જાહેર કરી છે. જે મુજબ હવે ટેન્કર સંચાલકો માટે લાયસન્સ અને  કમાણી પર ટેક્સ ચૂકવવો પડશે. તે ઉપરાંત ખાનગી ટેન્કર માલિકોએ ભૂમિગત જળ નિકાળવા માટે 2 હજાર  ચોરસ ફુટની જમીન હોવી જોઈએ. વળી ટેન્કર માલિકો અને પાણી પુરવઠો પુરો પાડનારા લોકોએ સ્થાનિક વહીવટી તંત્રને 6,50,000 રૂપિયાની ચૂકવણી કરવી પડશે અને પાંચથી વધુ ટેન્કર એક ખાસ લેવલથી વધુ પાણી ખેંચી શકશે. ઓથોરિટીએ નવી ગાઈડલાઈનનું પાલન ન કરનારા ટેન્કર એસોસિયેશનને ચેતવણી આપી છે. સ્થાનિક તંત્ર ટેન્કર સંચાલકો સામે પોલીસ કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.