ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં છોડાયું પાણી, સાવચેતીના ભાગ રૂપે આ સેવા હાલ માટે કરાઈ બંધ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-20 10:49:16

છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. વરસાદને પગલે નદીઓમાં નવા નીરની આવક થઈ છે તો ડેમ પણ ઓવરફ્લો થઈ રહ્યા છે. ડેમમાં પાણીની આવક થતાં નવા નીરના વધામણાં કરવામાં આવી રહ્યા છે. નદીઓમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. સાબરમતી નદીમાં પાણી છોડતા ફ્લોટિંગ રેસ્ટોરા બંધ કરી દેવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે. 


ડેમમાં તેમજ નદીઓમાં વરસાદી પાણીની બમ્પર આવક 

ગુજરાતમાં વરસાદી મૌસમ ફૂલજોશમાં ખીલી છે. છેલ્લા થોડા દિવસોથી અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. અનેક જગ્યાઓ પર તો પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા છે. જનજીવન પર સૌથી વધારે અસર વરસાદને કારણે પડી છે. સરદાર સરોવર ડેમ, કડાણા ડેમમાં તો પાણીની બમ્પર આવક થઈ છે. પરંતુ રાજ્યના અનેક ડેમો પણ પાણીથી છલોછલ છે. ડેમમાં પાણી આવતા નદીઓમાં પાણીને છોડવામાં આવતું હોય છે જેને કારણે સ્થાનિક લોકોને એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવતી હોય છે. રસ્તા પર નદીઓના નીર વહેતા હોય તેવા દ્રશ્યો અનેક વખત આપણી સામે આવ્યા છે. 

Like Mumbai-Goa, Ahmedabad People get the pleasure of dining in the middle  of water, facilities including live shows and music parties in floating  restaurants | મુંબઈ-ગોવાની જેમ અમદાવાદીઓને મળશે પાણી વચ્ચે જમવાની

સાબરમતી નદીમાં થઈ પાણીની આવક 

ભારે વરસાદને કારણે સરદાર સરોવર પોતાના મહત્તમ સપાટી પર પહોંચ્યો, કડાણા ડેમ સહિતના ડેમોમાં ભારે વરસાદ થવાને કારણે પાણીની જોરદાર આવક થઈ. પાણીની આવક થતાં નદીમાં પાણી છોડવામાં આવે છે. જેને કારણે ગુજરાતની અનેક એવી નદીઓ છે જે બે કાંઠે વહી રહી છે. ત્યારે અમદાવાદમાં તો ભારે વરસાદ નથી વરસ્યો પરંતુ અનેક જગ્યાઓ પર પડેલા ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. 


ફ્લોટિંગ રેસ્ટોરા સાવચેતીના ભાગરૂપે કરાયું બંધ 

નદીમાં પાણી છોડાતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. સાવચેતીના ભાગરૂપે અનેક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું જેને કારણે નદીમાં નવા નીરની આવક થઈ છે. નદીમાં પાણી આવતા સુરક્ષાને ધ્યાનમાં રાખી ફ્લોટિંગ રેસ્ટોરા બંધ કરવામાં આવી છે. સ્થિતિ જેવી જ સામાન્ય બનશે તે બાદ ફરીથી આ સુવિધા પુન: શરૂ કરવામાં આવશે. એવી પણ માહિતી સામે આવી છે કે જો આગામી સમયમાં વરસાદ રહેશે તો રિવર ક્રૂઝ સેવા પણ બંધ કરી દેવામાં આવશે.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!