દિલ્હીમાં યમુનાની જળ સપાટીએ છેલ્લા 45 વર્ષનો રેકોર્ડ તોડ્યો, જળસ્તર 207. 55 મીટરે પહોંચતા કલમ 144 લાગુ


  • Published By :
  • Published Date : 2023-07-12 15:42:26

દેશની રાજધાની દિલ્હીમાં ભારે વરસાદના કારણે સ્થિતી ચિંતાજનક બની છે. દિલ્હીમાં યમુનાની જળ સપાટીએ છેલ્લા 45 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હાલ યમુનાની જળ સપાટી 207. 55 મીટરે પહોંચી ગઈ છે. આ પરિસ્થિતી છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલા સતત વરસાદ અને હરિયાણાના હથિનીકુંડ બેરેજમાંથી 3 લાખ ક્યુસેક પાણી છોડવાના કારણે સર્જાઈ છે. આ પહેલા ભૂતકાળમાં 9 જુન 1978ના રોજ યમુના નદીની જળ સપાટી  207.49  મીટર નોંધવામાં આવી હતી.


ધોધમાર વરસાદની આગાહી


યમુનાની જળ સપાટીમાં રેકોર્ડ વૃધ્ધી બાદ હવે દિલ્હીમાં પૂરની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની આગાહી કરી છે. આ જ કારણે દિલ્હી વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. દિલ્હી સરકારે સંભવીત પૂરગ્રસ્ત વિસ્તારોમાં સીઆરપીસીની કલમ 144 અમલી બનાવી છે.


CM કેજરીવાલે બોલાવી ઈમર્જન્સી બેઠક

 

દિલ્હીમાં યમુના નદીમાં જળ સ્તરે વર્ષ 1978નો રેકોર્ડ  તોડતા અને પૂરની આશંકાઓ વચ્ચે ઈમર્જન્સી બેઠક બોલાવી છે. દિલ્હી સચિવાલયમાં યોજાનારી આ બેઠકમાં વિવિધ સરકારી વિભાગના ટોચના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.  આ બેઠકમાં પૂરથી ઉભી થનારી પરિસ્થિતીઓ અંગે ચર્ચા કરવામાં આવશે. તે ઉપરાંત રાહત અને બચાવ કામગીરીની રણનિતી અંગે પણ ચર્ચાની સંભાવના છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.