અમદાવાદના આટલા વોર્ડમાં મૂકાયો છે પાણી કાપ, પાણીની લાઈનમાં લીકેજ થતા થઈ રહ્યું છે રિપેરિંગ કામ!


  • Published By :
  • Published Date : 2023-03-03 12:54:09

પાણીની લાઈનમાં અનેક વખત ભંગાણ થવાના કિસ્સા સામે આવતા હોય છે. અનેક વખત પાણીની લાઈનમાં ભંગાણ થતા પાણીનો વેડફાટ થતો હોય છે. ત્યારે સરખેજ-ગાંધીનગર હાઈવે પર આવેલી મેઈન લાઈનમાં લીકેજ સર્જાયું છે. જેને લઈ લિકેજ રિપેરિંગ કરવામાં આવી રહ્યું છે. જેને કારણે 3 માર્ચની સાંજથી પાંચ માર્ચ સુધી અમદાવાદના અનેક વોર્ડમાં પાણી કાપ મૂકવામાં આવ્યો છે. થલતેજ, સરખેજ, રાણીપ, વાડજ, વેજલપુર, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, બોડકદેવ અને જોધપુરમાં પાણી કાપ મૂકાયો છે.   

 

પાંચ માર્ચ સુધી રહેશે પાણી કાપ 

ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની માગ વધતી હોય છે. પાણીના વપરાશમાં પણ વધારો થતો હોય છે. ત્યારે અમદાવાદના અનેક વોર્ડમાં પાણી કાપ મૂકવામાં આવ્યો છે. 3 માર્ચની સાંજથી બે દિવસ માટે પાણી કાપ મૂકવામાં આવતા પાણી માટે લોકોને વલખા મારવા પડી શકે છે. થલતેજ, સરખેજ, રાણીપ, વાડજ, વેજલપુર, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, બોડકદેવ અને જોધપુરમાં પાણી કાપ મૂકાયો છે.સરખેજ-ગાંધીનગર હાઈવે પર આવેલી મેઈન લાઈનમાં લિકેજ રિપેરિંગ કરવામાં આવી રહ્યું છે. જેને કારણે 3 માર્ચથી પાંચ માર્ચ સુધી પાણી કાપ રહેશે. મેઈન લાઈનમાં લિકેજની સીધી અસર જાસપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં અપાતા પાણી પૂરવઠા પર પડશે. 


પાણી કાપ મૂકાવાથી વધી શકે છે પાણીની માગ  

 સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદમાં પણ પાણી કાપ મૂકવામાં આવ્યો છે. પાણી નહીં મળે જેને કારણે અમદાવાદીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. આજ સાંજથી પાણી કાપ મૂકવામાં આવતા પાણીની માગ વધી શકે છે. ઉનાળાની શરુઆત થતાં જ પાણી કાપ મૂકાવાથી સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે.    




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.