અમદાવાદના આટલા વોર્ડમાં મૂકાયો છે પાણી કાપ, પાણીની લાઈનમાં લીકેજ થતા થઈ રહ્યું છે રિપેરિંગ કામ!


  • Published By :
  • Published Date : 2023-03-03 12:54:09

પાણીની લાઈનમાં અનેક વખત ભંગાણ થવાના કિસ્સા સામે આવતા હોય છે. અનેક વખત પાણીની લાઈનમાં ભંગાણ થતા પાણીનો વેડફાટ થતો હોય છે. ત્યારે સરખેજ-ગાંધીનગર હાઈવે પર આવેલી મેઈન લાઈનમાં લીકેજ સર્જાયું છે. જેને લઈ લિકેજ રિપેરિંગ કરવામાં આવી રહ્યું છે. જેને કારણે 3 માર્ચની સાંજથી પાંચ માર્ચ સુધી અમદાવાદના અનેક વોર્ડમાં પાણી કાપ મૂકવામાં આવ્યો છે. થલતેજ, સરખેજ, રાણીપ, વાડજ, વેજલપુર, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, બોડકદેવ અને જોધપુરમાં પાણી કાપ મૂકાયો છે.   

 

પાંચ માર્ચ સુધી રહેશે પાણી કાપ 

ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની માગ વધતી હોય છે. પાણીના વપરાશમાં પણ વધારો થતો હોય છે. ત્યારે અમદાવાદના અનેક વોર્ડમાં પાણી કાપ મૂકવામાં આવ્યો છે. 3 માર્ચની સાંજથી બે દિવસ માટે પાણી કાપ મૂકવામાં આવતા પાણી માટે લોકોને વલખા મારવા પડી શકે છે. થલતેજ, સરખેજ, રાણીપ, વાડજ, વેજલપુર, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, બોડકદેવ અને જોધપુરમાં પાણી કાપ મૂકાયો છે.સરખેજ-ગાંધીનગર હાઈવે પર આવેલી મેઈન લાઈનમાં લિકેજ રિપેરિંગ કરવામાં આવી રહ્યું છે. જેને કારણે 3 માર્ચથી પાંચ માર્ચ સુધી પાણી કાપ રહેશે. મેઈન લાઈનમાં લિકેજની સીધી અસર જાસપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં અપાતા પાણી પૂરવઠા પર પડશે. 


પાણી કાપ મૂકાવાથી વધી શકે છે પાણીની માગ  

 સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદમાં પણ પાણી કાપ મૂકવામાં આવ્યો છે. પાણી નહીં મળે જેને કારણે અમદાવાદીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. આજ સાંજથી પાણી કાપ મૂકવામાં આવતા પાણીની માગ વધી શકે છે. ઉનાળાની શરુઆત થતાં જ પાણી કાપ મૂકાવાથી સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે.    




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!