Rajkot TRP Game Zoneની પાસે આ જુઓ ભયંકર બેદરકારી! કેમ સામાન્ય માણસના જીવની કિંમત નથી? જુઓ લાપરવાહીનો વીડિયો


  • Published By :
  • Published Date : 2024-05-29 15:43:06

અનેક કન્સ્ટ્રક્શન સાઈટ આપણે જોઈ છે.. મજૂરો કેવી રીતે કામ કરે છે તે આપણે જોઈએ છીએ... પરંતુ ક્યારેય એ આપણે વિચાર્યું છે કે તેમને સેફ્ટી મળે છે કે નહીં? ક્યારેય એવું વિચાર્યું છે કે જો તે ઉપરથી નીચે પડી જાય છે તો તેમને કેવી રીતે બચાવાશે? કદાચ નહીં.. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી ઘટનાઓ બાદ અનેક સવાલ થયા કે શા માટે લાપરવાહી દાખવવામાં આવી? જમાવટની ટીમ જ્યારે રાજકોટ પહોંચી હતી ત્યારે ટીઆરપી ગેમ ઝોનથી 500 મીટરની દૂરી પર આવેલા એક કન્સ્ટ્રક્શન સાઈટની મુલાકાતે ગઈ હતી. ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા તે ભયજનક હતા.. સેફ્ટી વગર મજૂરો કામ કરી રહ્યા હતા.. 



જીવના જોખમે મજૂરો કરે છે મજૂરી  

આપણે જ્યારે મજૂરોને જોઈએ ત્યારે આપણને તેમને જોઈ દયા આવે..ધગધગતા તાપમાં તે લોકો પેટ માટે કામ કરે છે.. તાપમાનનો પારો ગમે તેટલો કેમ ના હોય તેઓ કામ કરતા દેખાય છે.. અનેક વખત મજૂરો આપણને સેફ્ટીના સાધનો વગર દેખાતા હોય છે.. સેફ્ટીના સાધનો વગર તેઓ ઉપર ચઢતા હોય છે અને જીવના જોખમે તેઓ મજૂરી કરતા હોય છે.. 

જો ઈતિહાસમાંથી આપણે શીખ્યા હોત તો... 

અનેક વખત આવા દ્રશ્યો આપણને દેખાય છે કે ત્યારે તે વાત સામાન્ય લાગે છે કે આવા દ્રશ્યો તો દેખાય.. પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે આવી જ લાપરવાહીને કારણે દુર્ઘટનાઓ સર્જાય છે. આપણે જ અનેક વખત આપણા જીવને જોખમમાં નાખતા હોઈએ છીએ.. આપણે ઈતિહાસમાંથી કોઈ બોધપાઠ નથી લેતા જેને કારણે ભવિષ્યમાં પણ આવી ઘટનાઓ બને છે.. જો આપણે ભૂતકાળમાંથી કઈ શીખ્યા હોત તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં જે ઘટના બની તે ઘટના ના બની હોત..   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.