મનીષ સિસોદિયાની ધરપકડ બાદ આપ અને ભાજપના નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ, ગઈ કાલે સીબીઆઈએ કરી હતી કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-02-27 09:54:19

રવિવારના રોજ સીબીઆઈએ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ કરી લીધી હતી. સીબીઆઈ દ્વારા એક્સાઈઝ નીતિના અમલીકરણમાં કથિત કૌભાંડના આરોપમાં સિસોદિયાની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર મનીષ સિસોદિયાને સીબીઆઈ આજે કોર્ટ સમક્ષ રજૂ કરવાની છે. દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે રવિવારે સીબીઆઈ સમક્ષ મનીષ સિસોદિયા રજૂ થયા હતા. 8 કલાકની પૂછપરછ બાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. સિસોદિયાની ધરપકડ થયા બાદ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ભાજપના નેતાઓ વચ્ચે શાબ્દિક પ્રહાર થયા હતા. મળતી માહિતી અનુસાર આપના કાર્યકર્તાઓ જોરદાર વિરોધ પ્રદર્શન કરશે અને ભાજપના કાર્યાલયનો ઘેરાવો કરશે.


મનીષ સિસોદિયા કોર્ટમાં થશે રજૂ 

કોર્ટમાં રજૂ કરતા પહેલા મનીષ સિસોદિયાના ટેસ્ટ કરવામાં આવશે. સિસોદિયાની આ ધરપકડ પુરાવાને નષ્ટ કરવાના આરોપમાં કરવામાં આવી છે. આબકારી વિભાગના એક અધિકારીએ કહ્યું કે સિસોદિયાએ એવી નીતિ બનાવી હતી જેમાં સરકારને વધારે ફાયદો ન થાય પરંતુ વ્યાપારીઓને ફાયદો થાય. આ નિવેદનના આધાર પર દિલ્હીના ડે.સીએમની રવિવારે સીબીઆઈની પૂછપરછ કરી હતી. જે બાદ મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી.


અરવિંદ કેજરીવાલ આવ્યા મનીષ સિસોદિયાના બચાવમાં 

મનીષ સિસોદિયાની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી અને ભાજપના નેતા વચ્ચે શાબ્દિક પ્રહાર શરૂ થઈ ગયો હતો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમના ઘરે પહોંચ્યા હતા અને પરિવારના સભ્યોને મળ્યા હતા. ત્યાંથી બહાર આવીને અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમે જોઈ રહ્યા છીએ કે કેવી રીતે શિક્ષણ માટે કામ કરતા મનીષની ખોટા કેસમાં ધરપકડ કરવામાં આવી છે. મનીષ એક દેશભક્ત માણસ છે. મનીષ એક શરિફ માણસ છે. તે ઉપરાંત આપના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે કહ્યું મનીષ સિસોદિયા વિરૂદ્ધ કોઈ સબૂત નથી મળ્યું, પછી ધરપકડ કઈ રીતે કરવામાં આવી. બંને ચાર્જસિટમાં મનીષ સિસોદિયાનું નામ સામેલ નથી. હવે સીબીઆઈ કોર્ટમાં કહેશે તપાસ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી જેલમાં રાખવામાં આવશે.


આપના નેતાઓએ આપ્યું સિસોદિયાને સમર્થન 

તે ઉપરાંત આતિશીએ કહ્યું કે મનીષ સિસોદિયાએ આઠ વર્ષમાં દિલ્હીની સરકારી શાળાની કાયા પલટ કરી દીધી છે. એમને આની જ સજા આપવામાં આવી રહી છે. ભાજપ કહી રહી છે આ 10 હજાર કરોડનો ઘોટાળો છે, આ પૈસા ક્યાં છે. સીબીઆઈએ સિસોદિયાના ઘર, એમના સંબંધી તેમજ દોસ્તોના ઘરની પણ તલાસી લીધી હતી, પરંતુ રુપિયા ન મળ્યા. આ રુપિયા ક્યાં છે તે સરકાર નથી બતાવી શકતી. તે ઉપરાંત આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજયસિંહે કહ્યું કે સિસોદિયાની ધરપકડ તાનાશાહી છે.  


ભાજપના નેતાઓએ કર્યા આપ પર પ્રહાર 

ભાજપના નેતાઓએ મનીષ સિયોદિયાની ધરપકડ અંગે પ્રતિક્રિયા આપી છે. ભાજપના નેતાઓનું કહેવું છે કે સિસોદિયાની ધરપકડ થવાની જ હતી, હેવે પછીનો નંબર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો છે. કપિલ મિશ્રાએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે હું પહેલેથી કહું છું કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન જેલમાં જશે. તે ઉપરાંત ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે આપણે મનીષજી વિશે વાત નથી કરી રહ્યા. આપણે આબકારી મંત્રીની વાત નથી કરી રહ્યા. સવાલએ છે કે દારૂના મંત્રીએ  દારૂનું કૌભાંડ કર્યું કે નહીં? શું મનીષજીએ તેમના કમિશનના સંબંધમાં કૌભાંડ કર્યું હતું કે નહીં.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!