Russia સામે બળવો કરનાર વેગનર ચીફનું પ્લેન ક્રેશમાં થયું મોત, પુતિન સામે બળવો કરવો પ્રાણઘાતક સાબિત થયો?


  • Published By :
  • Published Date : 2023-08-24 11:28:59

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સામે વિરોધનો અવાજ ઉઠાવનાર, બળવો કરનાર યેવગેની પ્રગોઝિન દુર્ઘટનાનો શિકાર બન્યા છે. બુધવારે રશિયાની પ્રાઈવેટ આર્મી વેગનર ગ્રુપના ચીફ યેવજેની પ્રિગોઝિન જે પ્લેનમાં સફર કરી રહ્યા હતા તે પ્લેન ક્રેશ થઈ ગયું હતું. અને આ દુર્ઘટનામાં ચીફ સહિત 7થી વધારે લોકોના મોત થયા છે તેવા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના બુધવારે બપોરના સમયે ઘટી હતી. મોસ્કોના ઉત્તરીય વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું હતું. રશિયાની ફેડરલ એર ટ્રાન્સપોર્ટ એજન્સીએ મૃતકોના નામની યાદી બહાર પાડી છે જેમાં વેગનર ગ્રૂપ કમાન્ડરના નામનો પણ સમાવેશ થાય છે. 


વેગનાર ચીફનું આ દુર્ઘટનામાં થયું મૃત્યુ    

અનેક વખત પ્લેન ક્રેશ થવાની ઘટનાઓ સામે આવતી હોય છે. પ્લેન ક્રેશ થવાને કારણે લોકોના મોત પણ થતા હોય છે. ત્યારે રશિયામાં એક દુર્ઘટના સર્જાઈ છે જેમાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સામે બળવો કરનારા વેગનાર પ્રમુખનું મોત આ પ્લેન ક્રેશમાં થયું છે. મહત્વનું છે કે વેગનાર ચીફનું આ દુર્ઘટનામાં નિધન થયું જે પ્રાઈવેટ આર્મી છે. 



રાષ્ટ્રપતિ પુતિન સામે ઉચ્ચાર્યા હતા વિરોધના સ્વર 

વેગનર આર્મી રશિયન સેના સાથે મળી યુક્રેન સામે યુદ્ધ લડી રહી હતી. મહત્વનું છે કે થોડા દિવસો પહેલા વેગનર ગ્રુપે રશિયામાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ બળવો કર્યો હતો. બળવાની શરૂઆત થવાને કારણે એવું લાગી રહ્યું હતું કે રશિયા બદલો લેવાના મૂડમાં છે. ત્યારે ગઈકાલે આ પ્લેન ક્રેશના સમાચાર સામે આવ્યા. પ્લેન ક્રેશની દુર્ઘટના રશિયાની રાજધાની મોસ્કોમાં બની હતી.  



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ચાઇના પર ટેરિફ વધારીને ૧૪૫ ટકા કરી નાખ્યો છે. ચાઇના પર નાખેલા ટેરીફની રાષ્ટ્રપતિ ક્ષી જિંગપિંગની પેહલી પ્રતિક્રિયા પણ સામે આવી છે. તો આ તરફ યુરોપીઅન યુનિયને અમેરિકા પર કાઉન્ટર ટેરિફ લગાવવા પર રોક લગાવી દીધી છે. તો બીજી તરફ અમેરિકા અને રશિયાએ ઈસ્તંબુલમાં એક રાજદ્વારી બેઠક યોજી હતી .

ડોનાલ્ડ ટ્રમ્પએ રેસિપ્રોકલ ટેરીફના અમલીકરણ માટે ૯૦ દિવસનો પ્રતિબંધ મુક્યો છે. તો આ તરફ ઈરાને "પરમાણુ" હથિયારોનો ત્યાગ કરવાની તૈયારી બતાવી છે. અમેરિકાના રક્ષા મંત્રી પીટ હેંગસેથ પનામા કેનાલની મુલાકાતે ગયા હતા અને તેમણે પનામા કેનાલને ફરી વખત પાછું લેવાની વાત કરી છે. બાંગલાદેશના પીએમ મોહમ્મદ યુનુસ જયારે થોડાક દિવસ પેહલા ચાઇનાની મુલાકાતે ગયા ત્યાં તેમણે ઉત્તર-પૂર્વીય ભારત માટે ખુબ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું . હવે ભારતે બાંગ્લાદેશની ટ્રાન્સશિપમેન્ટ ફેસિલિટી પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે.

ભારત તેની પ્રહારક્ષમતા વધારવા માટે પ્રોજેક્ટ વર્ષાનું અમલીકરણ કરી રહ્યું છે. આ ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ "ટેરિફ વિસ્ફોટ" પછી "વિઝા ટેરર" ની નીતિ અપનાવી છે. યુએઈના રક્ષા મંત્રી ભારત આવ્યા છે તેમણે ભારત સાથે ખુબ મહત્વના ક્ષેત્રોમાં સહકાર સાધવાનો પ્રયાસ કર્યો છે. તો હવે ઈરાન અને અમેરિકા પરમાણુ ક્ષેત્રે વાર્તાલાપ કરવા તૈયાર છે.

આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.