વૈષ્ણવાચાર્ય વ્રજેશ કુમાર મહારાજનું વડોદરામાં અવસાન, વૈષ્ણવ સમાજ શોકમગ્ન


  • Published By :
  • Published Date : 2023-02-27 13:21:53

વડોદરાના વૈષ્ણવો માટે આઘાતજનક સમાચાર આવ્યા છે. પ્રખ્યાત વૈષ્ણવાચાર્ય વ્રજેશકુમાર મહારાજનું આજે સવારે 11.45 કલાકે અવસાન થયુ છે. તેઓ બહુ લાંબા સમયથી બીમાર હતા. થોડા દિવસથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. તેમણે આજે સવારે 11.45એ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે.


લાંબા સમયથી બીમાર હતા 


વ્રજેશકુમાર વૈષ્ણવાચાર્ય પ.પૂ. ડો. વાગીશકુમાર તથા વૈષ્ણવાચાર્ય પ.પૂ. દ્વારકેશલાલજીના પિતા હતા. થોડા દિવસ પહેલા જ વ્રજેશકુમારની તબિયત અંગે પુત્ર ડો.વાગીશકુમારજી દ્વારા માહિતી આપવામાં આવી હતી. વૈષ્ણવાચાર્ય વ્રજેશકુમારની નાદુરસ્ત તબિયતને કારણે વૈષ્ણવોને શ્રી યમુનાષ્ટક પાઠ કરવા માટે પણ અપીલ કરવામાં આવી હતી. 


નિધનથી શોકનો માહોલ


વૈષ્ણવ સંપ્રદાય તૃતીયા પિઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્ય શ્રી વ્રજેશ કુમારજીએ આજે અંતિમ શ્વાસ લેતા વડોદરાના વૈષ્ણવ સમાજમાં ઊંડા શોકની લાગણી ફેલાઇ ગઈ છે. વ્રજેશ કુમારના નિધનના સમાચાર મળતા જ વૈષ્ણવ સમાજના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ અને તેમના નિવાસસ્થાન પહોંચી રહ્યા છે. તેમના અંતિમ સંસ્કાર ક્યારે થશે તે અંગે કોઈ જાણકારી મળી શકી નથી. અત્રે ઉલ્લેખનિય છે કે પરમ પૂજ્ય ગોસ્વામી તૃતીય પિઠાધીશ્વર કાંકરોલી નરેશ વૃજેશકુમાર મહોદય ચાર વેદ, સંસ્કૃત વ્યાકરણ સહિત પુષ્ટિમાર્ગમાં અત્યંત વિદ્વાન તરીકે જાણીતા હતા.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.