Chhattisgarh અને Mizoramમાં શરૂ થયું મતદાન, જાણો કેટલા ટકા નોંધાયું મતદાન, મતદારોમાં ઉત્સાહ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-07 10:48:36

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. પરંતુ તેની પહેલા પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. 7 નવેમ્બરમાં પ્રથમ ચરણનું મતદાન શરૂ થઈ ગયું છે. છત્તીસગઢમાં તેમજ મિઝોરમમાં મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મિઝોરમમાં 40 સીટો માટે મતદાન થઈ રહ્યું છે અને 90 વિધાનસભા સીટો વાળા છત્તીસગઢમાં 20 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. મિઝોરમના મુખ્યમંત્રી જ્યારે મતદાન કરવા મથક પર પહોંચ્યા ત્યારે મશીન ખરાબ થઈ ગયું હતું જેને કારણે તેઓ વોટ કરી શક્યા ન હતા. 9 વાગ્યા સુધીમાં છત્તીસગઢમાં 9.93 ટકા મતદાન થયું હતું જ્યારે મિઝોરમમાં 12.80 ટકા મતદાન થયું છે.  

20 બેઠકો માટે છત્તીસગઢમાં થઈ રહ્યું છે મતદાન 

રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમ તેમજ રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. મિઝોરમમાં એક જ તબક્કામાં મતદાન યોજાવાનું છે જ્યારે છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન થવાનું છે. છત્તીસગઢમાં પ્રથમ તબક્કા માટેનું મતદાન શરૂ થઈ ગયું છે. 90 વિધાનસભા બેઠકોમાંથી 20 બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે. આ બેઠકોમાં બસ્તરના માઓવાદથી પ્રભાવિત ક્ષેત્રોનો પણ સમાવેશ થાય છે. અનેક સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. મિઝોરમમાં પણ સુરક્ષાબળને ગોઠવી દેવામાં આવ્યો છે.  

મિઝોરમના મુખ્યમંત્રી જ્યારે વોટ કરવા ગયા ત્યારે...

છત્તીસગઢમાં ચૂંટણી પ્રક્રિયા શરૂ થાય તે પહેલા નક્સલી હુમલો થયો હતો જેમાં એક જવાન ઘાયલ થયા છે. સુકમા જિલ્લામાં ટોંડામરકા વિસ્તારમાં નક્સલિએ આઈડી ધમાકો કર્યો છે. મિઝોરમના મુખ્યમંત્રી જ્યારે મતદાન કરવા પહોંચ્યા ત્યારે મશીન ખરાબ હોવાને કારણે તેઓ મતદાન ન કરી શક્યા. મિઝોરમના સીએમ જોરામથાંગા પોતાનો મત આપી શક્યા નથી. તેઓ વોટિંગ રૂમની અંદર ગયા પરંતુ વોટ આપી શક્યા નહીં. તેણે બહાર આવીને કહ્યું કે મશીન કામ કરતું નથી. હવે તેઓ પાછા આવશે અને પછીથી પોતાનો મત આપશે.



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.