ચોથા તબક્કા માટેનું મતદાન પૂર્ણ, સાંજે પાંચ વાગ્યા સુધી નોંધાયું આટલા ટકા મતદાન, પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે નોંધાયું મતદાન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-05-13 18:57:50

દેશમાં લોકસભા માટે મતદાન થઈ રહ્યું છે.. મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પોતાની પસંદગીના ઉમેદવારને વોટ આપે છે.. ત્રણ તબક્કા અંતર્ગત મતદાન પૂર્ણ થઈ ગયું છે. હજી ત્રણ તબક્કા માટે મતદાન બાકી છે. આજે ચોથા તબક્કા અંતર્ગત મતદાન થયું હતું. 96 બેઠકો માટે મતદાન થયું હતું અને ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થયા છે. પાંચ વાગ્યા સુધી સામે આવેલા આંકડાની વાત કરીએ તો 62.31 ટકા સરેરાશ મતદાન નોંધાયું છે.. સૌથી વધારે મતદાન પશ્ચિમ બંગાળમાં નોંધાયું છે જ્યારે જમ્મુ કાશ્મીરમાં સૌથી ઓછું મતદાન નોંધાયું છે.

ચોથા તબક્કા માટે 96 બેઠકો માટે થઈ રહ્યું છે મતદાન 

સાત તબક્કામાં દેશમાં લોકસભા ચૂંટણી થઈ રહી છે.. પ્રથમ ત્રણ તબક્કા માટે મતદાન પૂર્ણ થઈ ગયું અને આજે ચોથા તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે.. 96 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.. ચોથા તબક્કામાં આંધ્ર પ્રદેશની 25 બેઠકો માટે જ્યારે ઉત્તર પ્રદેશની 13 સીટો માટે મતદાન થઈ રહ્યું છે. તેલંગાણાની 17, મહારાષ્ટ્રની 11 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.. એમપીની 8, પશ્ચિમ બંગાળની 8, બિહારની પાંચ, ઝારખંડ તેમજ ઓડિશાની 4-4 બેઠકો માટે જ્યારે જમ્મુ કાશ્મીરની એક બેઠક માટે મતદાન થઈ રહ્યું છે...


ક્યાં કેટલું નોંધાયું મતદાન?

સાંજે પાંય વાગ્યા સુધી સરેરાશ 62.31 ટકા મતદાન થયું છે. ક્યાં કેટલું મતદાન થયું તેની વાત કરીએ તો પાંચ વાગ્યા સુધી આંધ્ર પ્રદેશમાં 68.04 ટકા, બિહારમાં 54.14, જમ્મુ કાશ્મીરમાં 35.75 ટકા મતદાન થયું છે જ્યારે ઝારખંડમાં 63.14 ટકા મતદાન થયું છે. મધ્યપ્રદેશમાં 68.01 ટકા, મહારાષ્ટ્રમાં 52.49, ઓડિશામાં 62.96 ટકા મતદાન સાંજે પાંચ વાગ્યા સુધી થયું છે. તેલંગાણામાં 61.16 ટકા મતદાન થયું છે જ્યારે ઉત્તર પ્રદેશમાં 56.35 ટકા મતદાન જ્યારે પશ્ચિમ બંગાળમાં 75.66 ટકા મતદાન થયું છે.. મહત્વનું છે પશ્ચિમ બંગાળમાં સારા પ્રમાણમાં મતદાન થયું છે. આ મતદાન કોને ફાયદો કરાવશે તેની પર સૌ કોઈની નજર રહેલી છે.. લોકસભા ઈલેક્શનનું પરિણામ ચોથી જૂનના રોજ આવવાનું છે..  



સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વ્હાઇટહાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ આ રેસિપ્રોકલ ટેરિફ પછી યુરોપમાંથી પેહલા વડાપ્રધાન છે જેઓ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા છે. આ મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની પ્રશંસા કરી છે સાથે જ સામે જ્યોર્જિયા મેલોનીએ ડોનાલ્ડ ટ્રમ્પને ઇટાલીની રાજધાની રોમમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મુલાકાત દરમ્યાન બેઉ દેશોના વડાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન પણ કર્યું હતું જેમાં એક પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું હતું કે , તમે ક્યારેય યુરોપના લોકોને પેરેસાઇટ કહ્યા છે. જોકે ટ્રમ્પએ વાત નકારી કાઢે છે

થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.