વિવેક રામાસ્વામી અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીની રેસમાંથી બહાર, આયોવા કોકસમાં ટ્રમ્પે હરાવ્યા


  • Published By :
  • Published Date : 2024-01-18 17:27:43

અમેરિકામાં આ વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. રિપબ્લિકન પાર્ટી તરફથી ચૂંટણી લડી રહેલા ભારતીય મૂળના વિવેક રામાસ્વામીએ પોતાની ઉમેદવારી છોડી દીધી છે. 38 વર્ષીય ઉદ્યોગસાહસિક વિવેક રામાસ્વામીએ આ નિર્ણય ડોનાલ્ડ ટ્રમ્પ સામે આયોવા કોકસ હાર્યા બાદ લીધો છે. બાયોટેક ઉદ્યોગસાહસિકે જણાવ્યું હતું કે તેઓ આયોવા લીડઓફ કોકસમાં નિરાશાજનક હાર બાદ રિપબ્લિકન નોમિનેશન માટેના તેમના અભિયાનને સમાપ્ત કરી રહ્યા છે. રામાસ્વામીએ કહ્યું, "હું આજે રાત્રે સત્યને વળગી રહીશ. સત્ય મારા માટે ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ મારે સ્વીકારવું પડશે.  મે તેના વિશે દરેક રીતે વિચાર્યું અને મને લાગે છે કે સત્ય એ છે કે અમે તે આશ્ચર્યજનક કામ કરી શક્યા નથી, જે અમે આજે રાત્રે આપવા માગતા હતા."


બની શકે છે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ


આયોવા કોકસમાં વિવેક રામાસ્વામીનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક હતું, જે પછી તેમણે ઉમેદવારી પાછી ખેંચી લેવાનું શ્રેષ્ઠ માન્યું. જો કે, લોકોએ તેમના માટે VP-VP ના નારા લગાવ્યા. આનો અર્થ એ થયો કે ભીડ ઇચ્છતી હતી કે રામાસ્વામીને ઉપરાષ્ટ્રપતિના ઉમેદવાર બનાવવામાં આવે. ન્યૂ હેમ્પશાયરમાં રિપબ્લિકન ઉમેદવાર અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સ્ટેજ શેર કર્યું, જ્યારે ભીડે તેમના માટે VP-VP ના નારા લગાવવાનું શરૂ કર્યું. રામસ્વામીએ ટ્રમ્પના સમર્થનમાં ભાષણ પણ આપ્યું હતું. રામાસ્વામીનું ભાષણ પૂરું કર્યા બાદ ટ્રમ્પે તેમના વખાણ કર્યા અને કહ્યું કે તેઓ લાંબા સમય સુધી અમારી સાથે કામ કરશે. એટકિન્સન, ન્યૂ હેમ્પશાયરમાં ચૂંટણી ભાષણ આપતાં રામાસ્વામીએ કહ્યું, 'આ વ્યક્તિ (ટ્રમ્પ) આગામી રાષ્ટ્રપતિ બનશે.'



ભારતની રાજનીતિમાં ઉત્તરની વિરુદ્ધમાં દક્ષિણ થવા જઈ રહ્યું છે . કેમ કે દક્ષિણના રાજ્યો નવા સીમાંકનનો વિરોધ કરવા એક થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે . તો બીજી બાજુ કેન્દ્ર સરકારે આ રાજ્યોની એક પણ બેઠક ઓછી ના થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે .

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના યુવકનું અમેરિકા ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં મોત થવાના સમાચાર આવ્યા બાદમાં તાપસ કરતા જાણવા મળ્યું કે ત્રણ મહિના જેટલો સમય થયો દિલીપભાઈ પોતાના ઘરે એવું કહીને નીકળ્યા હતા કે એ ફરવા માટે અમેરિકા જાય છે બસમાં એજન્ટ જોડે સેટિંગ કરીને નિકારગુઆ થઈને અમેરિકાએ ઘુસવાનો હતો પણ પોતે ડાયાબિટીસનો પેશન્ટ હતો અને દોઢેક માસની સફર દરમિયાન ડાયાબિટીસની દવાઓના અભાવને કારણે યુવક બેહોશ થઈ કોમામાં જતો રહ્યો અને જે બાદ તેને નિકારગુઆમાં દાખલ કર્યો અને ત્યાં જ તેનું મૃત્યુ થયું તેવી પ્રાથમિક માહિતી છે જોકે યુવક એકલો નોહ્તો ગયો એની સાથે પત્ની અને એક દીકરો પણ ગયા હતા જે નિકારગુઆમાં જ અટવાયાં છે

પીએમ મોદી ૨૦૧૫ પછી બીજી વાર મોરિશિયસના પ્રવાસે છે . આ વિદેશ પ્રવાસ ખુબ મહત્વનો છે . મોરિશિયસમાં કુલ વસ્તીના ૭૦ ટકા લોકો ભારતીય મૂળના છે . મહાત્મા ગાંધીનો મોરિશિયસ સાથે ખાસ સબંધ છે .

ઈલોન મસ્કને પોલેન્ડના વિદેશ મંત્રી સાથે થયો ઉગ્ર વિવાદ . આ ઉગ્ર વિવાદ અમેરિકા અને યુરોપ વચ્ચે શું બતાવી રહ્યો છે?