દિલ્હી એરપોર્ટ પર વિસ્તારા ફ્લાઇટના 2 પાઇલોટની સુઝબુઝથી મોટી દુર્ઘટના ટળી, જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-08-23 18:00:09

દિલ્હી એરપોર્ટ પર બુધવારે સવારે બે વિસ્તારા ફ્લાઇટના પાઇલોટ્સ દ્વારા સમયસર પગલાં લેવામાં આવેલા પગલાના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. એક ફ્લાઈટ બાગડોગરા માટે અને બીજી અમદાવાદથી આવેલી ફ્લાઈટ લેન્ડિગ કરવાની હતી જો કે આ સંભવિત ટક્કરને બે પાઈલોટની સુઝબુઝે અટકાવી હતી. બંને પાઈલોટ વિમાનમાં મુસાફરી કરી રહેલા સેંકડો લોકોના જીવ બચાવ્યા હતા. દિલ્હી એરપોર્ટ પર વિસ્તારા એરલાઇન્સના એક એરક્રાફ્ટને ટેક ઓફ કરવાની મંજૂરી આપવામાં આવી હતી જ્યારે અન્ય એરક્રાફ્ટ લેન્ડિંગની પ્રક્રિયામાં હતું. ATC(એર ટ્રાફિક કંટ્રોલ)ની સૂચના બાદ ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી હતી. 


કઈ રીતે મોટો અકસ્માત ટળ્યો

 

દિલ્હીથી બાગડોગરા જતી ફ્લાઈટ UK725 તાજેતરમાં જ ઉદ્ઘાટન કરાયેલા નવા રનવે પરથી ઉડાન ભરી રહી હતી. તે જ સમયે અમદાવાદથી દિલ્હીની વિસ્તારા ફ્લાઈટ બાજુના રનવે પર ઉતર્યા બાદ તે જ રનવેના છેડા તરફ આગળ વધી રહી હતી. "બંને ફ્લાઈટ્સ એક જ સમયે ક્લિયર થઈ ગઈ હતી પરંતુ ATCએ તરત જ નિયંત્રણ મેળવી લીધું હતું. ફરજ પરના ATC અધિકારીએ વિસ્તારાને ફ્લાઈટ રદ કરવા કહ્યું," એક જાણકાર અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે  ફ્લાઇટ કેન્સલ થયા બાદ દિલ્હી-બાગડોગરા ફ્લાઇટ તરત જ પાર્કિંગ એરિયામાં પાછી ફરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ફ્લાઇટમાં ફરીથી ઇંધણ ભરવામાં આવ્યું હતું, જેથી પાયલટને બાગડોગરા ખાતે ખરાબ હવામાનનો સામનો કરવો પડે તો એરક્રાફ્ટમાં દિલ્હી પરત ફરવા માટે પૂરતું ઇંધણ રહે. તેમજ બ્રેકીંગ સિસ્ટમ પણ ચેક કરવામાં આવી હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.