અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદ મુદ્દે હવે વિશ્વ હિન્દુ પરિષદે ઝંપલાવ્યું, સરકારને આપી આ ગર્ભીત ચીમકી


  • Published By :
  • Published Date : 2023-03-10 18:23:45

સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઢ અંબાજી મંદિરમાં છેલ્લા 7 દિવસથી મોહનથાળનો પ્રસાદ બંધ છે. સરકારે મોહનથાળને બદલે ચીકીનો પ્રસાદ આપવાનો શરૂ કરતા માઈ ભક્તોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. હવે આ મુદ્દે વિશ્વ હિંદુ પરીષદે પણ ઝંપલાવ્યું છે.


VHPએ કર્યા ધરણા


VHPએ મોહનથાળનો પ્રસાદ ફરી આપવાની ઉગ્ર માંગણી કરી છે. મોહનથાળના પ્રસાદની માંગ સાથે મેદાનમાં આવેલા વિશ્વ હિન્દુ પરિષદ ઘરણા-પ્રદર્શનનું આયોજન કર્યું છે. પ્રસાદ બંધ કરવાના મામલે VHPના મંત્રી અશોક રાવલના નેતૃત્વમાં ઠેર ઠેર ધરણા કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ ઉપરાંત રવિવારે રાજ્યના તમામ મંદિરોમાં મોહનથાળ પ્રસાદ વહેંચવાના VHP દ્વારા જાહેરાત કરાઈ છે.વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યાત્રા સંઘો, સંતો,ભાવિ ભક્તોને આ ધરણાંમાં જોડાવા આહ્વાન કરાયું છે.


ભૂદેવોએ કલેક્ટર સમક્ષ કરી હતી રજુઆત


અંબાજી મંદિરમાં મા અંબેને મોહનથાળનો ભોગ લગાવ્યા બાદ 21 ભૂદેવો તે મોહનથાળનો પ્રસાદ લઈને અબોટીયું પહેરીને ગઈ કાલે પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. તેમણે નાયબ કલેક્ટરને મોહનથાળનો પ્રસાદ આપીને અંબાજી મંદિરમાં ફરીથી મોહનથાળનો પ્રસાદ શરૂ કરવાની માંગ કરી હતી. ભૂદેવો જો તેમની માંગ નહિ સ્વીકારાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.



સાવરકુંડલા તાલુકામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો જલ્દી સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે...

બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.

ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ છવાઈ રહ્યો છે.... ત્રણેય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે... ત્રણ એટલા માટે કે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવાર ઉતારશે એવી ચર્ચા છે... એટલે આપ અને કોંગ્રેસનું ગઠબંધન તૂટશે એવુ કહી શકાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા કેમ્પેઈનનો શુભારંભ કરાવ્યો હતો.. રેડ ક્રોસ ભવનની બાજુમાં આવેલા ખાદી ગ્રામોદ્યોગ ભવનના પરિસરમાં કરવામાં આવ્યો હતો..