અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદ મુદ્દે હવે વિશ્વ હિન્દુ પરિષદે ઝંપલાવ્યું, સરકારને આપી આ ગર્ભીત ચીમકી


  • Published By :
  • Published Date : 2023-03-10 18:23:45

સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઢ અંબાજી મંદિરમાં છેલ્લા 7 દિવસથી મોહનથાળનો પ્રસાદ બંધ છે. સરકારે મોહનથાળને બદલે ચીકીનો પ્રસાદ આપવાનો શરૂ કરતા માઈ ભક્તોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. હવે આ મુદ્દે વિશ્વ હિંદુ પરીષદે પણ ઝંપલાવ્યું છે.


VHPએ કર્યા ધરણા


VHPએ મોહનથાળનો પ્રસાદ ફરી આપવાની ઉગ્ર માંગણી કરી છે. મોહનથાળના પ્રસાદની માંગ સાથે મેદાનમાં આવેલા વિશ્વ હિન્દુ પરિષદ ઘરણા-પ્રદર્શનનું આયોજન કર્યું છે. પ્રસાદ બંધ કરવાના મામલે VHPના મંત્રી અશોક રાવલના નેતૃત્વમાં ઠેર ઠેર ધરણા કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ ઉપરાંત રવિવારે રાજ્યના તમામ મંદિરોમાં મોહનથાળ પ્રસાદ વહેંચવાના VHP દ્વારા જાહેરાત કરાઈ છે.વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યાત્રા સંઘો, સંતો,ભાવિ ભક્તોને આ ધરણાંમાં જોડાવા આહ્વાન કરાયું છે.


ભૂદેવોએ કલેક્ટર સમક્ષ કરી હતી રજુઆત


અંબાજી મંદિરમાં મા અંબેને મોહનથાળનો ભોગ લગાવ્યા બાદ 21 ભૂદેવો તે મોહનથાળનો પ્રસાદ લઈને અબોટીયું પહેરીને ગઈ કાલે પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. તેમણે નાયબ કલેક્ટરને મોહનથાળનો પ્રસાદ આપીને અંબાજી મંદિરમાં ફરીથી મોહનથાળનો પ્રસાદ શરૂ કરવાની માંગ કરી હતી. ભૂદેવો જો તેમની માંગ નહિ સ્વીકારાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.