અમદાવાદમાં શરૂ થઈ વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટ, 90 દિવસમાં ટ્રાફિકનો ઈ-મેમો નહીં ભરો તો કોર્ટ ફટકારશે નોટિસ


  • Published By :
  • Published Date : 2023-05-03 22:11:15

હવે સમગ્ર ગુજરાતમાં વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટ શરૂ કરવામાં આવી છે. જો ઇ-મેમોની દંડની રકમ ત્રણ મહિનામાં ચૂકવવામાં નહીં આવે, તો ટ્રાફિક કોર્ટમાંથી આપોઆપ મેમો મોકલવામાં આવશે. વન નેશન વન ચલણ પ્રોજેક્ટ અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ અને આરટીઓ ચલણ સાથે સફળતાપૂર્વક સંકલિત કરવામાં આવ્યો છે. જેમાં વાહન માલિકના મોબાઈલ નંબર પર SMS દ્વારા માહિતી આપવામાં આવશે. અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં આજથી ગુજરાતની પ્રથમ વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટનો પ્રારંભ થયો છે.


વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટ આપશે નોટિસ


જો કોઈ વાહનચાલક ટ્રાફિક અને RTOના ઈ-મેમોના દંડની રકમ 90 દિવસમાં નહીં ભરે તો તે સમયગાળા ઈ-મેમો વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટના સર્વરમાં મોકલી દેવાશે. આ કેસોમાં વાહનના માલિકને નોટિસ અને મોબાઈલ ફોન પર SMS મોકલાશે. આ SMSમાં ઓનલાઈન દંડ ભરવાની લિંક પણ હશે. જો દંડ ભરનારને દંડની રકમ સામે વાંધો હશે તો કેસ લડવા માટે જે-તે શહેરની અદાલતમાં તે કેસ મોકલી અપાશે. આ ઇ-ચલણનું પેમેન્ટ SBI ઈ-પેમેન્ટ ગેટવે સાથે સંલગ્ન છે. જેમાં ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, UPI, નેટ બેન્કિંગ વગેરે માધ્યમોથી દંડ ભરી શકાશે. એટલે કે ટ્રાફિકનો દંડ ભરવા હવે કોર્ટની લાઈનમાં ઉભા રહેવુ પડશે નહીં.


6500  CCTV કેમેરાની રહેશે નજર 


અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બની રહી છે. લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે પોલીસ પણ સક્રિય બની છે. અગાઉ શહેરમાં માત્ર 3 ટ્રાફિક નિયમ તોડનારાઓને ઈ-મેમો મોકલવામાં આવતા હતા, હવે અમદાવાદ શહેરમાં 16 ટ્રાફિક નિયમ તોડનારાઓને ઘરે-ઘરે ઈ-મેમો મોકલવામાં આવશે. આ માટે શહેરના 130 ટ્રાફિક સિગ્નલો પર 6500 જેટલા CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે.


નંબર પ્લેટ અંગે સાવચેત રહો


અમદાવાદ શહેરમાં, રિક્ષામાં સામાન્ય કરતાં વધુ મુસાફરો મુસાફરી કતા જોવા મળે છે. રિક્ષામાં ડ્રાઇવરની સીટ પર મુસાફરો બેસશે, BRTS કોરિડોરમાં વાહન ચલાવશે, ફોર વ્હીલરમાં કાળા કાચ કે ડાર્ક ફિલ્મ લગાવેલી હશે, જો તમે ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઇલ ફોન પર વાત કરતા હશો તો, ઇ. મેમો તમારા ઘરે પહોંચી જશે. આ ઉપરાંત જે વાહનોમાં HSRP સિવાયની નંબર પ્લેટ હશે તેમને પણ ઈ-મેમો મોકલવામાં આવશે.


નો પાર્કિંગ ઝોનમાં પાર્કિંગ કરતા ચેતજો


શહેરમાં ટૂ-વ્હીલર પર 2થી વધુ લોકો સવારી કરતા હોય, સ્પીડ લિમિટ ન હોય તો ઈ-મેમો આવશે. રોડ પર અને નો-પાર્કિંગ ઝોનમાં આડેધડ વાહનો પાર્ક કરનારા વાહનચાલકોને ઈ-મેમો આપવામાં આવશે. જો ફોર વ્હીલરમાં ડ્રાઈવરે સીટ બેલ્ટ ન પહેર્યો હોય અને બાઇક સવારે હેલ્મેટ પહેર્યું ન હોય તો ઈ-મેમો આવશે. શહેરમાં વાહનોની સ્પીડ નિયમ કરતાં વધુ હશે, ખોટી દિશામાં વાહન ચલાવતા પકડાશે તો ઈ-મેમો આવશે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!