વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે સદી ફટકારી, ODI ક્રિકેટમાં 13 હજાર રન, સચિનનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો


  • Published By :
  • Published Date : 2023-09-11 20:18:00

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ એશિયા કપના સુપર-4માં પાકિસ્તાની બોલરની જબરદસ્ત ધુલાઈ કરી છે.  વિરાટ કોહલીએ 84 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. વનડે ક્રિકેટમાં વિરાટ કોહલીની આ 47મી સદી છે. કોહલી ઇનિંગ્સના અંત સુધી અણનમ રહ્યો અને તેણે 122 રનની ઇનિંગ રમી હતી. 94 બોલનો સામનો કરતા તેણે પોતાની ઇનિંગમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગા પણ ફટકાર્યા હતા.


સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો


આ ઈનિંગ દરમિયાન કોહલી વન ડે ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી 13 હજાર રન પૂરા કરનાર બેટ્સમેન બની ગયો. કોહલીએ આ મામલે ભારતના જ માસ્ટર બ્લાસ્ટર બેટ્સમેન સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. સચિન તેંડુલકરે 321 ઇનિંગ્સમાં 13 હજાર રન પૂરા કર્યા હતા. જ્યારે વિરાટે આ સિદ્ધિ મેળવવા માટે માત્ર 267 ઇનિંગ્સ લીધી હતી.


વન ડે ક્રિકેટમાં 13 હજાર રન 


વન ડે ક્રિકેટમાં પોતાની 47મી સદી સાથે વિરાટ કોહલીએ સૌથી ઝડપી 13 હજાર રન બનાવવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. વિરાટ કોહલીએ પોતાની 278મી ODI મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. વિરાટ કોહલી ODIમાં 13 હજાર રન બનાવનાર 5મો બેટ્સમેન પણ બની ગયો છે. વિરાટ કોહલીથી આગળ ભારતના સચિન તેંડુલકર (18426), કુમાર સંગાકારા (14234), રિકી પોન્ટિંગ (13704) અને સનથ જયસૂર્યા (13430) છે.


પ્રેમદાસા મેદાન પર કોહલીની ચોથી સદી


આટલું જ નહીં વિરાટ કોહલીએ કોલંબોના પ્રેમદાસા મેદાન પર સતત ચોથી સદી ફટકારવાની સિદ્ધિ પણ મેળવી હતી. આ મામલે કોહલીએ દક્ષિણ આફ્રિકાના પૂર્વ બેટ્સમેન હાશિમ અમલાની બરાબરી કરી લીધી છે. તેણે સેન્ચુરિયન મેદાન પર વનડેમાં ચાર સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે