BCCIનો મોટો નિર્ણય: કોહલી અને રાહુલ આફ્રિકા સિરિઝની ત્રીજી ટી-20માંથી બહાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 18:35:04

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી ટી20 સિરિઝ માંથી ભારતે પહેલી બે ટી20 જીતી લીધી છે. એટલે કે ભારતે આ સિરિઝ પર કબજો કરી લીધો છે અને હવે એક અંતિમ ટી 20 બાકી છે. જો કે  BCCI મહત્વનો નિર્ણય લેતા ટીમમાં મોટો ફેરફાર કર્યો છે. વિરાટ કોહલી અને વાઈસ કેપ્ટન કેએલ રાહુલને સાઉથ આફ્રિકા સામેની ત્રીજી ટી-20માં આરામ આપવામાં આવ્યો છે. 


કેએલ રાહુલ  અને કોહલીને આરામ અપાયો


BCCIના સુત્રોએ જણાવ્યું  કે વિરાટ કોહલી અને કેએલ રાહુલ રાખીને તેને ત્રીજી ટી20માં આરામ આપવામાં આવ્યો છે. કોહલી આગામી ટી20 વર્લ્ડ કપમાં સારો દેખાવ કરે અને તેનું ફોર્મ પણ જળવાઈ રહે તે માટે તેને આરામની જરુર હતી તેથી તેને ત્રીજી મેચમાં આરામ આપવામાં આવ્યો છે. વિરાટ કોહલી અને કેએલ રાહુલ હવે 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે સીધા મેદાનમાં જોવા મળશે.


શ્રેયસ અય્યરને ટીમમાં સ્થાન મળ્યું 


વિરાટ કોહલી અને કેએલ રાહુલને આરામ આપ્યા બાદ શ્રેયસ અય્યરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. એટલે કે ત્રીજી ટી-20 મેચમાં ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ-11 જોવા મળી શકે છે. બંને ટીમો વચ્ચે સિરીઝની છેલ્લી ટી-20 મેચ ઇન્દોરમાં રમાશે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે