સોશિયલ મીડિયા પર છવાયો વિરાટ, 5 કરોડ ફોલોઅર્સ ધરાવનારો પ્રથમ ક્રિકેટર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 18:27:27

ક્રિકેટના મેદાન પર અનેક કીર્તિમાન રચનારા પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ સોશિયલ મિડીયા પર નવો રેકોર્ડ સ્થાપ્યો છે. 

વિરાટ કોહલી ટ્વિટર પર 50 મિલિયન (5 કરોડ ) ફોલોઅર્સ ધરાવનારો પ્રથમ ક્રિકેટર બન્યો છે. 33 વર્ષીય જમણેરી બેટ્સ મેન દુનિયામાં સૌથી વધુ ફોલો થનાર ક્રિકેટર છે. 211 મિલિયન ફોલોઅર્સ સાથે કોહલી ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો થનાર સ્પોર્ટ્સપર્સનની યાદીમાં ત્રીજા સ્થાને છે.


વિરાટની આગળ માત્ર 4 ખ્યાતનામ હસ્તીઓ

વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સ મામલે વિશ્વની તમામ ખ્યાતનામ હસ્તીઓને પાછળ રાખી દીધી છે. પરંતું હજુ પમ દુનિયામાં એવી 4 લોકો છે જે વિરાટથી આગળ છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, (476 મિલિયન), કાઈલી જેનર (366 મિલિયન), સેલેના ગોમ્સ (342 મિલિયન) અને ડ્વેન જોન્સન (334 મિલિયન) ફોલોઅર્સ ધરાવે છે અને તે કોહલીથી પણ આગળ છે.


વિરાટ કોહલીએ 1020 દિવસ પછી ફટકારી સદી

પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ 2 વર્ષ 9 મહિના અને 16 દિવસ પછી એટલે કે 1020 દિવસ પછી સેન્ચુરી મારી હતી. તેણે શાનદાર રીતે ફોર્મમાં પરત ફરતાં અફઘાનિસ્તાન વિરુદ્ધ એશિયા કપની ગ્રૂપ મેચમાં દુબઈ ખાતે  61 બોલમાં 122* રનની જોરદાર ઇનિંગ્સ રમી. તેણે પોતાની ઇનિંગ્સ દરમિયાન 200ની સ્ટ્રાઇક રેટથી રમતા 12 ફોર અને 6 સિક્સ મારી હતી.


કોહલીની આ T20 ઇન્ટરનેશનલમાં પ્રથમ સદી હતી. આ સાથે જ તેણે આ ફોર્મેટની એક જ ઇનિંગ્સમાં સૌથી વધુ રન બનાવવાનો રોહિત શર્માનો રેકોર્ડ પણ તોડ્યો છે. અગાઉ રોહિતે 2017માં શ્રીલંકા વિરુદ્ધ ઇન્દોર ખાતે 118 રન બનાવ્યા હતા.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે