વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પહોંચ્યા ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિર, ભસ્મ આરતીનો લીધો લાભ


  • Published By :
  • Published Date : 2023-03-04 11:24:34

મહાદેવજીના શરણે આજ કાલ અનેક ક્રિકેટરો જઈ રહ્યા છે. થોડા સમય પહેલા કેએલ રાહુલ પોતાની પત્ની અશિયા શેટ્ટી સાથે મહાકાલના દર્શને પહોંચ્યા હતા. તો તેની પહેલા અક્ષર પટેલ પોતાની પત્ની મેહા સાથે મહાકાલના દર્શને પહોંચ્યા હતા. તો આજે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને તેમની પત્ની અનુષ્કા શર્મા મહાકાલના શરણે ગયા હતા. વિરાટ કોહલીએ ધોતી અને રુદ્રાક્ષની માળા પહેરી હતી જ્યારે અનુષ્કા શર્માએ પણ સાડી પહેરી હતી. મહત્વનું છે કે 9 માર્ચથી અમદાવાદમાં મેચ યોજાવાની છે. 

     

અનેક ક્રિકેટરો પહોંચ્યા હતા મહાકાલના દર્શન માટે

ઘણા સમયથી ભારતીય ટીમના ક્રિકેટરો મહાકાલના દર્શન માટે જઈ રહ્યા છે. ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ પોતાની પત્ની અને બોલિવુડ એક્ટ્રેસ અથિયા શેટ્ટી સાથે મહાકાલના દર્શન માટે પહોંચ્યા હતા. તે પહેલા અક્ષર પટેલ પોતાની પત્ની મેહા સાથે દર્શન માટે પહોંચ્યા હતા. ત્યારે મહાકાલના શરણે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પહોંચ્યા છે. શનિવાર સવારે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા દર્શન માટે પહોંચ્યા હતા. સવારે થતી ભસ્મ આરતીનો લાભ પણ તેમણે લીધો હતો. 



ભસ્મ આરતીમાં વિરાટ અને અનુષ્કાએ લીધો ભાગ 

કલાક-દોઢ કલાક જેટલો સમય બંને મંદિરમાં બેઠા હતા. આરતી બાદ મંદિરના ગર્ભગૃહમાં જઈ પૂજા કરી હતી. વિરાટ કોહલીએ ગળામાં રુદ્રાક્ષની માળા ધારણ કરી હતી. મસ્તક પર ચંદનનો  ત્રિપુંડ કર્યું હતું. અનુષ્કા શર્માએ પણ સાડી પહેરી હતી. વિરાટ અને અનુષ્કા શર્માએ નવા વર્ષની શરૂઆત વૃંદાવનમાં કરી હતી. વૃંદાવન ખાતે આવેલા બાબા નીમ કરોલી આશ્રમ પહોંચ્યા હતા.    



સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરને અવકાશમાંથી પરત લાવવાનું મિશન નાસાએ ફરી એકવાર રદ કરી દીધું છે . કેમ કે રોકેટના ગ્રાઉન્ડ સપોર્ટ ક્લેમ્પ આર્મની હાઇડ્રોલિક સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી .

વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલાઇન લેવિટે પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન ભારત પર ટેરિફને લઇને કર્યા આકરા પ્રહાર. અમેરિકાએ તેના જ સહયોગી દેશોની સામે ટ્રેડ વોર શરુ કરી દીધું છે . તો જાણો ભારત અને અમેરિકાના દ્વિપક્ષીય વ્યાપાર વિશે.

દક્ષિણ ગુજરાતથી ધડાધડ મેસેજ આવ્યા કે લાઈટ ગઈ છે. તાપી, ભરૂચ, રાજપીપળા, સુરત, નવસારીમાં એકસાથે લાઈટ ગઈ. મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ અને મોટી સંખ્યામાં લોકો ટોરેન્ટ પાવરની ઓફિસમાં પહોંચી ગયા હતા. જો કે હવે ટોરેન્ટ અને DGCVLએ 100 ટકા પૂરવઠો પૂર્વવત કરી દીધો છે.

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ૧૯૪૮થી જ હિંસક આંદોલનો થઈ રહ્યા છે , જાણો કેવી રીતે તેને પાકિસ્તાન સાથે જોડી દેવાયું અને હવે કેમ ત્યાં હિંસક આંદોલનો થઈ રહ્યા છે?