વિરમગામના ધારાસભ્ય Hardik Patelને સુરત કોર્ટે નિર્દોષ જાહેર કર્યા, જાણો શું હતો સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2024-01-19 14:38:25

વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને સુરત કોર્ટે મોટી રાહત આપી છે. સરથાણા વિસ્તારમાં નોંધાયેલા કેસમાં સુરત કોર્ટે હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કર્યા છે. જે કેસમાં ધારાસભ્યને રાહત મળી છે તે 2017માં નોંધવામાં આવ્યો હતો. વિગતવાર વાર કરીએ તો પાટીદાર અનામત આંદોલન વખતે પરમિશન ન હોવા છતાંય કિરણ ચોક પર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં તેમણે સરકાર વિરૂદ્ધ આકરા ભાષણો આપ્યા હતા. આ કેસને લઈ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બંને પક્ષોની દલિલોને સાંભળ્યા બાદ કોર્ટે ચૂકાદો સંભળાવ્યો છે અને ધારાસભ્યને નિર્દોષ જાહેર કર્યા છે.     

    

સુરત કોર્ટે હાર્દિક પટેલને નિર્દોષ કર્યા જાહેર 

સમગ્ર કેસની વાત કરીએ તો વર્ષ 2017માં જ્યારે વિધાનસભા ઈલેક્શન યોજાયું હતું તે વખતે સુરતના યોગીચોક ખાતે પાટીદાર અનામત આંદોલન માટેની જન ક્રાંતિ રેલી યોજાઈ હતી. આ રેલી અંગેની પરમિટ લેવામાં ન આવી હતી ઉપરાંત રેલી દરમિયાન સરકાર પર હાર્દિક પટેલે આકરા પ્રહાર કર્યા હતા. તે વખતે એટલે 2017માં સરથાણા વિસ્તારમાં તેમના વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ કેસને લઈ સુરત કોર્ટે મહત્વનો નિર્ણય લેતા વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કર્યા છે. 15 હજારના જામીન ભરવામાં આવ્યા છે. 


હાર્દિક પટેલે ચૂકાદા બાદ આપી પ્રતિક્રિયા 

કોર્ટનો ચુકાદો આવ્યા બાદ હાર્દિક પટેલ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. પ્રતિક્રિયા આપતા હાર્દિક પટેલે કહ્યું કે સત્યનો હંમેશા વિજય થતો હોય છે. વર્ષ 2017ના કેસમાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. ન્યાયિક પ્રક્રિયા ઉપર અમને સંપૂર્ણ ભરોસો હતો. ન્યાયિક પ્રક્રિયાનો હું હૃદય પૂર્વક આભાર માનું છું.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.