વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાઈ, લડી શકે છે વિસનગરથી ચૂંટણી


  • Published By :
  • Published Date : 2022-11-11 11:54:35

ભાજપમાંથી અલવિદા કહી અનેક નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ત્યારે ભાજપના નેતા રહી ચૂકેલા વિપુલ ચૌધરી ચૂંટણી લડશે તેવી જાહેરાત કરવામાં આવી છે. અને તેઓ આમ આદમી પાર્ટીથી દાવેદારી નોંધાવશે  તેવી જાહેરાત મહેસાણા જિલ્લાના અર્બુદા સેનાના મહામંત્રી રાજુ ચૌધરી દ્વારા કરવામાં આવી છે. મળતી માહિતી વિસનગર અનુસાર તેઓ વિસનગરથી ઉમેદવારી નોંધાવી શકે છે. 

વિપુલ ચૌધરી સામેની ફરિયાદમાં માત્ર 4 કંપનીનો જ ઉલ્લેખ, 31નો કેમ નહીં? |  નવગુજરાત સમય

વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાશે - રાજુ ચૌધરી 

આમ આદમી પાર્ટી પોતાા પ્રચારમાં વ્યસ્ત થઈ છે. પોતાના પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. અનેક નેતાઓ ભાજપ અને કોંગ્રેસને અલવિદા કહી આપમાં જોડાઈ રહ્યા છે. ત્યારે વિપુલ ચૌધરી પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. અને વિસનગરથી ચૂંટણી મેદાનમાં ઉતરી શકે છે તેવી માહિતી મળી રહી છે. મહેસાણા જિલ્લા અર્બુદા સેનાના મહામંત્રીએ જાહેરાત કરતા તેમણે કહ્યું કે વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાશે અને 15 તારીખે તેઓ ચૂંટણી લડવાની જાહેરાત કરવાના છે.

Nikhil Patel on Twitter:

વિસનગરમાં થશે વિપુલ અને ઋષિકેશ વચ્ચે ટક્કર

મહત્વનું છે અર્બુદા સેનાએ પહેલા જ વિપુલ ચૌધરીનું સમર્થન કરી દીધું છે. પરંતુ તે સાચે આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે કે નહીં તેની સત્તાવાર જાણકારી આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવી નથી. ગોપાલ ઈટાલિયાએ માત્ર એટલું કહ્યું હતું કે તે આપમાં જોડાઈ શકે છે. જો વિપુલ ચૌધરી વિસનગરથી ઉમેદવારી નોંધાવશે તો તેમની સીધી ટક્કર વિસનગરના ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલ સાથે થશે. ત્યારે સાચે વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાશે કે કેમ અને મહેસાણાથી ચૂંટણી લડશે કે કેમ તે સમય બતાવશે.            




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!