વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાઈ, લડી શકે છે વિસનગરથી ચૂંટણી


  • Published By :
  • Published Date : 2022-11-11 11:54:35

ભાજપમાંથી અલવિદા કહી અનેક નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ત્યારે ભાજપના નેતા રહી ચૂકેલા વિપુલ ચૌધરી ચૂંટણી લડશે તેવી જાહેરાત કરવામાં આવી છે. અને તેઓ આમ આદમી પાર્ટીથી દાવેદારી નોંધાવશે  તેવી જાહેરાત મહેસાણા જિલ્લાના અર્બુદા સેનાના મહામંત્રી રાજુ ચૌધરી દ્વારા કરવામાં આવી છે. મળતી માહિતી વિસનગર અનુસાર તેઓ વિસનગરથી ઉમેદવારી નોંધાવી શકે છે. 

વિપુલ ચૌધરી સામેની ફરિયાદમાં માત્ર 4 કંપનીનો જ ઉલ્લેખ, 31નો કેમ નહીં? |  નવગુજરાત સમય

વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાશે - રાજુ ચૌધરી 

આમ આદમી પાર્ટી પોતાા પ્રચારમાં વ્યસ્ત થઈ છે. પોતાના પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. અનેક નેતાઓ ભાજપ અને કોંગ્રેસને અલવિદા કહી આપમાં જોડાઈ રહ્યા છે. ત્યારે વિપુલ ચૌધરી પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. અને વિસનગરથી ચૂંટણી મેદાનમાં ઉતરી શકે છે તેવી માહિતી મળી રહી છે. મહેસાણા જિલ્લા અર્બુદા સેનાના મહામંત્રીએ જાહેરાત કરતા તેમણે કહ્યું કે વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાશે અને 15 તારીખે તેઓ ચૂંટણી લડવાની જાહેરાત કરવાના છે.

Nikhil Patel on Twitter:

વિસનગરમાં થશે વિપુલ અને ઋષિકેશ વચ્ચે ટક્કર

મહત્વનું છે અર્બુદા સેનાએ પહેલા જ વિપુલ ચૌધરીનું સમર્થન કરી દીધું છે. પરંતુ તે સાચે આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે કે નહીં તેની સત્તાવાર જાણકારી આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવી નથી. ગોપાલ ઈટાલિયાએ માત્ર એટલું કહ્યું હતું કે તે આપમાં જોડાઈ શકે છે. જો વિપુલ ચૌધરી વિસનગરથી ઉમેદવારી નોંધાવશે તો તેમની સીધી ટક્કર વિસનગરના ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલ સાથે થશે. ત્યારે સાચે વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાશે કે કેમ અને મહેસાણાથી ચૂંટણી લડશે કે કેમ તે સમય બતાવશે.            




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.