વિપુલ ચૌધરી માટે અર્બુદા સેના લડી લેવાના મૂડમાં, ચૌધરી સમાજે શરૂ કર્યું જેલભરો આંદોલન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 13:08:42

દુધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીની અટકાયતને લઈ ચૌધરી સમાજમાં ભારે રોષ છે. ચૌધરી સમાજ હવે એક થઈને વિપુલ ચૌધરીના સમર્થનમાં આવ્યો છે અને સરકાર સામે રીતસર લડી લેવાના મૂડમાં છે. વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેનાએ આજથી જેલભરો આંદોલન શરૂ કર્યું છે. પાટણ અને બનાસકાંઠાના વિવિધ ભાગોમાં અર્બુદા સેનાના કાર્યકરો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા.


અર્બુદા સેનાના કાર્યકરોની પોલીસે કરી અટકાયત


પોલીસે વડગામ અને પાલનપુરમાં વિપુલ ચૌધરીના સમર્થનમાં આવેલા 25 આગેવાનોની અટકાયત કરી છે. અર્બુદા સેનાના ધરણાં અને વિરોધને લઈને જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ અલર્ટ મોડ પર છે. પાટણના સૂજનીપુર જેલમાં અત્યારસુધી 100 લોકોની અટકાયત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે અર્બુદા સેના દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શન ઉપરાંત ધરણા, સામુહિક ઉપવાસ કરવામાં આવ્યા હતા. 



ચૌધરી સમાજના આંદોલનથી ભાજપને ચૂંટણીમાં નુકસાન થઈ શકે


વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેના દ્વારા એક પત્ર વાઈરલ થયો હતો. જેમાં સમાજના લોકોને વિપુલ ચૌધરીને આગામી દિવસોમાં જેલમાંથી મુક્ત કરાવવા માટે અર્બુદા સેના દ્વારા આંદોલન વિશે માહિતી આપી હતી. ચૌધરી સમાજના વિરોધ પ્રદર્શનને જોતા સરકાર સામે પણ મોટો પડકાર ઉભો થયો છે. ર્બુદા સેનાના પ્રદેશ પ્રવક્તા હરજીત ચૌધરીએ કહ્યું હતું કે સરકાર જો આ તમામ વિરોધ પછી પણ અમારી વાત નહીં માને તો ચૂંટણીમાં ચૌધરી સમાજની તાકાત અમે બતાવીશું.



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.