આખરે ચૂંટણી બાદ વિપુલ ચૌધરીનો થશે છુટકારો, સુપ્રીમ કોર્ટે જામીન મંજુર કર્યા


  • Published By :
  • Published Date : 2022-12-12 14:02:43

દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની જામીન અરજી અંતે મંજૂર કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે વિપુલ ચૌધરીની જામીન અરજી મંજૂર કરી છે. વિપુલ ચૌધરીના  જામીન બિનશરતી જામીન મંજૂર કરાયા છે. તેઓ દૂધસાગર ડેરીમાં કૌંભાંડના કેસમાં જેલમાં બંધ હતા.


વિપુલ ચૌધરી પર શું છે આરોપ?


ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે ડેરીમાં  800 કરોડની ઉચાપતનો ગંભીર  આરોપ છે. દૂધસાગર ડેરીના ચેરમેન રહેવા દરમિયાન તેમણે નિયમનું ઉલ્લંઘન કરી મિલ્ક કુલરની બલ્કમાં ખરીદી, ડેરીના ચેરમેન તરીકે હટાવાતા કરેલા કોર્ટ કેસનો ખર્ચ ડેરીમાં ઉમેરવો, ટેન્ડર વિના ડેરીના કામ કરવા, ડેરીના હોર્ડિંગ્સ ઊંચો ભાવ આપનારી કંપની પાસેથી મેળવ્યા સહિતના આરોપો હતા. તેમની પર કુલ મળીને 800 કરોડનું કૌભાંડ આચરવાનો આરોપ મૂકાયો હતો.રાજ્યની ક્રાઈમ બ્રાન્ચે પણ આ આરોપ હેઠળ તેમની ધરપકડ કરી હતી. જો કે વિપુલ ચૌધરીની ધરપકડ થતા ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વિપુલ ચૌધરીની અર્બુદાએ ચૂંટણી પહેલા ભાજપ સામે દેખાવો અને વિરોધ પ્રદર્શનો પણ કર્યા હતા


કોણ છે વિપુલ ચૌધરી?


વિપુલ ચૌધરી મહેસાણામાં આવેલી દૂધસાગર ડેરીના સ્થાપક માનસિંહ ચૌધરીના પુત્ર છે. વિપુલ ચૌધરી ઉત્તર ગુજરાતના રાજકારણ અને સહકારી દૂધ મંડળી ક્ષેત્રે જાણીતું નામ છે. તેમના પિતા માનસિંહ ચૌધરીએ વર્ષ 1960માં દૂધ સાગર ડેરીની સ્થાપના કરી હતી. વિપુલ ચૌધરી દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન છે અને તે ઉપરાંત રાજ્યના ગૃહમંત્રી પણ રહી ચૂંક્યા છે. આજે સુપ્રીમ કોર્ટ દ્વારા વિપુલ ચૌધરીની જામીન અરજી મંજૂર થતાં ચૌધરી સમાજમાં ખુશી લહેર વ્યાપી ગઈ હતી.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!