આખરે ચૂંટણી બાદ વિપુલ ચૌધરીનો થશે છુટકારો, સુપ્રીમ કોર્ટે જામીન મંજુર કર્યા


  • Published By :
  • Published Date : 2022-12-12 14:02:43

દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની જામીન અરજી અંતે મંજૂર કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે વિપુલ ચૌધરીની જામીન અરજી મંજૂર કરી છે. વિપુલ ચૌધરીના  જામીન બિનશરતી જામીન મંજૂર કરાયા છે. તેઓ દૂધસાગર ડેરીમાં કૌંભાંડના કેસમાં જેલમાં બંધ હતા.


વિપુલ ચૌધરી પર શું છે આરોપ?


ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે ડેરીમાં  800 કરોડની ઉચાપતનો ગંભીર  આરોપ છે. દૂધસાગર ડેરીના ચેરમેન રહેવા દરમિયાન તેમણે નિયમનું ઉલ્લંઘન કરી મિલ્ક કુલરની બલ્કમાં ખરીદી, ડેરીના ચેરમેન તરીકે હટાવાતા કરેલા કોર્ટ કેસનો ખર્ચ ડેરીમાં ઉમેરવો, ટેન્ડર વિના ડેરીના કામ કરવા, ડેરીના હોર્ડિંગ્સ ઊંચો ભાવ આપનારી કંપની પાસેથી મેળવ્યા સહિતના આરોપો હતા. તેમની પર કુલ મળીને 800 કરોડનું કૌભાંડ આચરવાનો આરોપ મૂકાયો હતો.રાજ્યની ક્રાઈમ બ્રાન્ચે પણ આ આરોપ હેઠળ તેમની ધરપકડ કરી હતી. જો કે વિપુલ ચૌધરીની ધરપકડ થતા ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વિપુલ ચૌધરીની અર્બુદાએ ચૂંટણી પહેલા ભાજપ સામે દેખાવો અને વિરોધ પ્રદર્શનો પણ કર્યા હતા


કોણ છે વિપુલ ચૌધરી?


વિપુલ ચૌધરી મહેસાણામાં આવેલી દૂધસાગર ડેરીના સ્થાપક માનસિંહ ચૌધરીના પુત્ર છે. વિપુલ ચૌધરી ઉત્તર ગુજરાતના રાજકારણ અને સહકારી દૂધ મંડળી ક્ષેત્રે જાણીતું નામ છે. તેમના પિતા માનસિંહ ચૌધરીએ વર્ષ 1960માં દૂધ સાગર ડેરીની સ્થાપના કરી હતી. વિપુલ ચૌધરી દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન છે અને તે ઉપરાંત રાજ્યના ગૃહમંત્રી પણ રહી ચૂંક્યા છે. આજે સુપ્રીમ કોર્ટ દ્વારા વિપુલ ચૌધરીની જામીન અરજી મંજૂર થતાં ચૌધરી સમાજમાં ખુશી લહેર વ્યાપી ગઈ હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.