વિપુલ ચૌધરી પર કાયદાનો ગાળિયો કસાયો, કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 18:24:56

રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી વિરૂધ્ધ કાયદાનો ગાળિયો કસાયો છે. હજુ એક દિવસ પહેલા જ ગાંધીનગર સ્થિત તેમના બંગલેથી અડધી રાત્રે વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી. આજે વિપુલ ચૌધરીને મહેસાણા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. મહેસાણા કોર્ટે વિપુલ ચૌધરીના 7 દિવસના રિમાંડ મંજૂર કર્યા છે. જોકે પોલીસે તો 10 દિવસના રિમાંડની માંગણી કરી હતી. હવે વિપુલ ચૌધરી 23 સપ્ટેમ્બર બપોરે 12 વાગ્યા સુધી પોલીસના રિમાન્ડમાં રહેશે. રિમાન્ડ દરમિયાન પોલીસ વિપુલ ચૌધરીને 800 કરોડના કૌભાંડ અંગે સઘન પૂછપરછ કરશે



કોર્ટની બહાર મોટી સંખ્યામાં સમર્થકો ઉમટ્યા


વિપુલ ચૌધરીને કોર્ટમાં રજૂ કરાયા તે સમયે અર્બુદા સેનાના કાર્યકરો મોટી સંખ્યામાં કોર્ટની બહાર એકઠા થયા હતા, જેને ધ્યાનમાં રાખીને પોલીસ વિપુલ ચૌધરીને કોર્ટના પાછળના દરવાજેથી લઈ ગઈ હતી અને કોર્ટમાં રજૂ કર્યા હતા. અર્બુદા સેનાના કાર્યકરોનો જમાવડો થયો હોવાથી કોર્ટ પરિસરમાં જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વિપુલ ચૌધરીને 7 દિવસના રિમાન્ડમાં મોકલી દેવામાં આવ્યા બાદ મહેસાણા, ગાંધીનગર જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના રાજકારણમાં રાજકારણ ગરમાયું.


રિમાન્ડના ઘેરા પ્રત્યાઘાત પડ્યા


વિપુલ ચૌધરીની ધરપકડથી સમગ્ર ઉત્તર ગુજરાતમાં રોષની લાગણી ફરી વળી છે. ચૌધરી સમાજના અગ્રણી નેતા વિપુલ ચૌધરી સાથે કાજકીય રીતે દ્રેષભાવ રખાતા હોવાના આરોપ થઈ રહ્યા છે. મહેસાણા, હિંમતનગર વિસનગર,વડગામ,દિયોદર,દાતા,વડગામ,ધાનેરા,વાવ અને ડીસા સહિતના શહેરોમાં અર્બુદા સેનાના નેજા હેઠળ રેલી યોજાઈ હતી જેમાં ચૌધરી આંજણા સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ચૌધરી સમાજના આગેવાનોએ વિપુલ ચૌધરીને છોડવામાં નહીં આવે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.